Wednesday, July 8, 2009

કૃષિ યુનિ. માં ગુજરાત સ્થાપના દિન ઉજવાયો


દાંતીવાડા : ૧ મે ના રોજ સમગ્ર ગુજરાતમાં ગુજરાત રાજયનાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં શુક્રવારના રોજ કૃષિ યુનિ. દ્વારા સરદાર સ્મૃતિ કેન્દ્ર ખાતે આઇ.આઇ.એમ. ના પ્રાઘ્યાપક પદ્મશ્રી પ્રો. અનીલ ગુપ્તાનું ‘ગુજરાતમાં કષિ વિકાસ’ વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું. જેમાં યુનિ. ના કુલપતી ડૉ. આર.સી. મહેશ્વરી, રજીસ્ટ્રાર ડૉ. એચ.એન. ખેર, વિવિધ કોલેજના આચાર્ય, પ્રોફેસરો તથા વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શુક્રવારના રોજ ભાઇ-ભાઇ ગ્રુપ દ્વારા પણ યુનિ. માં ગુજરાત સ્થાપના દિનની ઉજવણી કરાઈ હતી.

No comments:

Post a Comment