Wednesday, July 8, 2009

કૃષિ યુનિ. માં ગુજરાત સ્થાપના દિન ઉજવાયો


દાંતીવાડા : ૧ મે ના રોજ સમગ્ર ગુજરાતમાં ગુજરાત રાજયનાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં શુક્રવારના રોજ કૃષિ યુનિ. દ્વારા સરદાર સ્મૃતિ કેન્દ્ર ખાતે આઇ.આઇ.એમ. ના પ્રાઘ્યાપક પદ્મશ્રી પ્રો. અનીલ ગુપ્તાનું ‘ગુજરાતમાં કષિ વિકાસ’ વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું. જેમાં યુનિ. ના કુલપતી ડૉ. આર.સી. મહેશ્વરી, રજીસ્ટ્રાર ડૉ. એચ.એન. ખેર, વિવિધ કોલેજના આચાર્ય, પ્રોફેસરો તથા વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શુક્રવારના રોજ ભાઇ-ભાઇ ગ્રુપ દ્વારા પણ યુનિ. માં ગુજરાત સ્થાપના દિનની ઉજવણી કરાઈ હતી.

ગુંદરી હાઈવે રકતરંજિત બન્યો : છનાં મોત

ગુંદરી હાઈવે રકતરંજિત બન્યો : છનાં મોત

દાંતીવાડા તાલુકાના ગુંદરી ચેકપોસ્ટ નજીક હાઇવે પર ગુરુવારે સવારે જીપ અને ટ્રક વરચે સજાર્યલા ગમખ્વાર અકસ્માતમાં છ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નીપજયા હતા. જયારે એકને ઇજા થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વાહનોને છૂટા પાડવા જે.સી.બી. મશીનોની મદદ લેવી પડી હતી.

આ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ફરાર થઇ ગયેલા ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાંથાવાડા પોલીસ મથકના પી.એસ.ઓ. બાબુલાલે જણાવ્યું હતું કે ‘દાંતીવાડા તાલુકાના ગુંદરી ચેકપોસ્ટ નજીક રાજસ્થાન જતાં હાઇવે પર ગુરુવારે સવારના સુમારે પાંથાવાડાથી મુસાફરો ભરી જીપ નં. આરજે-૨૪-ટી-૧૧૯૬ રાજસ્થાન તરફ જઇ રહી હતી.

ત્યારે સામેથી પૂરઝડપે આવી રહેલી ટ્રક નં. એચઆર-૫૫-૨૪૨૪ ધડાકાભેર જીપ સાથે અથડાતાં ગુંદરી હાઇવે રકતરંજિત બની ગયો હતો અને જીપમાં બેઠેલા છ મુસાફરોની મરણચીસોથી વાતાવરણમાં કરુુણતા છવાઇ ગઇ હતી. દુઘટર્નાને પગલે આજુબાજુમાંથી દોડી આવેલા લોકો તેમજ આરટીઓ ચેકપોસ્ટના કર્મીઓએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી.

જૉ કે, ફૂરચા ઉડી ગયેલી જીપ અને ટ્રક સામસામે ભીડાઇ ગયા હોવાથી બે જે.સી.બી. મશીનો દ્વારા અકસ્માતગ્રસ્ત વાહનો છૂટા કરાયા હતા અને વાહનોમાં ફસાયેલા કમનશીબ મૃતકોના એક પછી એક મૃતદેહોને બહાર નીકાળવામાં આવ્યા ત્યારે વાતાવરણ ભારેખમ બની ગયું હતું. જયારે એક ઇજાગ્રસ્ત મુસાફરને ૧૦૮ મોબાઇલવાન દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.

અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતને પગલે જિલ્લા પોલીસવડા ડી.એન. પટેલ, પી.એસ.આઇ. ડી.એમ. ચૌહાણ, જયારે ડી.વાય.એસ.પી. બી.બી. પટેલ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મૃતકોના સ્વજનોને સાંત્વના આપી હતી. જયારે છ મૃતકોની લાશનું પાંથાવાડા પી.એચ.સી. ના ડૉ. એસ.આર. યાદવે પોસ્ટમોર્ટમ કરીને વાલી વારસોને લાશ સોંપી હતી.

આ અંગે મૃતકોના વાલીવારસોએ જણાવ્યું હતું કે ‘આ ઘટનામાં મોતને ભેટેલા તમામ મૃતકો સામાન્ય સ્થિતિના હોવાથી સરકારી સહાય મળવી જૉઇએ.’ આ અંગે સમશેરખાન હાજીનુરમહંમદ મુસલમાન (રહે. મન્ડાર, રાજસ્થાન)એ પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે નાસી છૂટેલા ટ્રક ચાલક સામે ગુનો નોંધી પી.એસ.આઇ. ડી.એન. ચૌધરી વધુ તપાસ ચલાવી રહ્યા છે.

પિયરમાં ન જવા દેતાં પરિણીતાએ ડેમમાં મોતની છલાંગ લગાવી

પિયરમાં ન જવા દેતાં પરિણીતાએ ડેમમાં મોતની છલાંગ લગાવી

દાંતીવાડાની પરિણીતાને તેના સાસરીયાઓ દ્વારા પિયર જવા દેવામાં ન આવતાં પરિણીતાએ રવિવારે સવારે દાંતીવાડા ડેમમાં કુદી પડી મોતને વ્હાલું કરતાં ચકચાર મચી જવા પામી હતી.

સદ્ધિપુર ગામની આરતીબેન કુવાચીના લગ્ન આજથી ૭ માસ અગાઉ દાંતીવાડાના વિક્રમ સાથે થયા હતા. લગ્ન બાદ આરતીએ પિયર જવા માટે અનેકવાર તેના સાસરીયાઓએ કહેવા છતાં તેને પિયરમાં જવા ન દેતાં આરતીબેન (ઉ.વ.૧૯)એ રવિવારે વહેલી સવારે દાંતીવાડા ડેમના ગેટ નં.૧૦ ઉપરથી મોતની છલાંગ મારી જીવન ટુંકાવી દીધુ હતું. આ અંગે ડેમ સાઇડના ફરજ પરના ચોકીદાર એન.જે.પરમારે જણાવ્યું હતં કે ‘આજે સવારે ૮.૦૦ વાગ્યાની આસપાસ આ મૃતક બહેન ડેમ પર અવ્યા હતા.

જેમની વર્તણુકમાં અજુગતું લાગતું હતું અને જોતજોતામાં તેઓએ ગેટ નં.૧૦ નજીક ડેમના પાળા પરથી છલાંગ લગાવી હતી. આ ઘટનાની જાણ થતાં રામનગરના તરવૈયા ભવરસીંગ વાધેલા, અભેસીંગ વાધેલા, પ્રવીણસીંગ વાધેલા, ચુનીલાલ શંકરસીંગ વાધેલા તાબડતોડ ડેમ પર પહોંચી ગયા હતા અને ડેમમાં આરતીબેનની શોધખોળ શરૂ કરી હતી.

જે દરમિયાન ડેમમાંથી આરતીબેન મૃત હાલતમાં મળી આવતાં તેમની લાશને ડેમમાંથી ૯.૩૦ કલાકે બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ મતક મહિલાની લાશનું જેગોલ પી.એચ.સી. ખાતે પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. આ અંગેની ફરીયાદ પાંથાવાડા પોલીસ સ્ટેશને નોંધાતા પી.એસ.આઇ. એન.ડી.ચૌધરી આગળની તપાસ ચલાવી રહ્યા છે.

દાંતીવાડા વેટરનરી કોલેજના વિધાર્થીઓ આંદોલનના માર્ગે

દાંતીવાડા વેટરનરી કોલેજના વિધાર્થીઓ આંદોલનના માર્ગે

સરદાર કષિનગર દાંતીવાડા કૃષિ યુનિ.ની વેટરનરી કોલેજના છાત્રોએ વેટરનરી સંશોધન સંસ્થાની માગણીને ચાલુ રાખી આજે શૈક્ષણિક કાર્ય બંધ કરી રેલી યોજી અને આવેદનપત્ર આપ્યું હતું.

છેલ્લા કેટલાય સમયથી ભારતની તમામ વેટરનરી કોલેજના વિધાર્થીઓ વેટરનરી સંશોધન સંસ્થા સ્થાપવા માટે જુદાજુદા પ્રકારે આંદોલન ચલાવી રહ્યા છે. જેમાં આજરોજ ઓલ ઇન્ડિયા વેટરનરી સ્ટુડન્ટ એસોસિયેશનના નેજાહેઠળ ગુજરાતની આણંદ અને દાંતીવાડા વેટરનરી કોલેજના વિધાર્થીઓએ આઇ.સી.વી.આર. સ્થાપવાની માગ સાથે આજે એક દિવસ માટે કોલેજનું શૈક્ષણિક કાર્ય બંધ કર્યું હતું.

દાંતીવાડા વેટરનરી કોલેજના વિધાર્થીઓએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી યુનિ. ના વિધાર્થી કલ્યાણ પ્રવતીના નિયામક ડૉ. વીરસિંગને આવેદનપત્ર આપ્યું હતું. આ અંગે દાંતીવાડા વેટરનરી કોલેજના જનરલ સેક્રેટરી નિખિલ પટેલે જણાવ્યું હતું કે, આ આંદોલન ઇઝ્ઝતનગર વેટરનરી કોલેજથી શરૂ થયું છે.

જે પાંચ દિવસથી ઉપવાસ પર બેઠેલા બે વિધાર્થીઓની તબિયત ગઇકાલે લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા તે છતાં પણ કેન્દ્ર સરકાર આ બાબતે કોઇ જ નિર્ણય લેતી નથી.

માટે આજે ઓલ ઇન્ડિયા વેટરનરી સ્ટુડન્ટ એસોસિયેશનના આદેશથી અમે આજે હડતાલ પાડી છે. અને જો આગામી સમય સુધી કેન્દ્ર સરકાર આ અંગે કંઇ જ નિર્ણય નહીં લે તો ભારતની બધી જ વેટરનરી કોલેજના વિધાર્થીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જવાના છે.

દાંતીવાડા જળાશયમાં પાણી સંગ્રહ શકિતમાં ભારે ઘટાડો

દાંતીવાડા જળાશયમાં પાણી સંગ્રહ શકિતમાં ભારે ઘટાડો

બનાસકાંઠા- પાટણ જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા જળાશય યોજનામાં ચોમાસાના પાણી સાથે ઘસડાઇને આવતી માટી-કાંપના કારણે બંધની સ્ટોરેજ કેપેસીટીમાં ધટાડો થયો છે. બનાસકાંઠામાં પસાર થતી બનાસનદી ઉપર દાંતીવાડા જળાશય યોજના ૧૯૬૫-૬૬માં કાર્યરત થઇ હતી.

જેનાથી દાંતીવાડા તાલુકાના ૩ ગામોમાં ૯૩૬ હેકટર, પાલનપુર તાલુકાના ૧૯ ગામોમાં ૬૩૨૪ હેકટર, ડીસા તાલુકાના ૩૧ ગામોમાં ૧૫૨૯૧ હેકટર, કાંકરેજ તાલુકાના ૮ ગામોમાં રપ૮૩ હેકટર, પાટણ તાલુકાના ૪૬ ગામોમાં ૧૯૦૪૦ હેકટર અને સિઘ્ધપુર તાલુકાના ૩ ગામોમાં ૬૪૯ હેકટર જમીનમાં સિંચાઇનો લાભ મળે છે. દાંતીવાડા જળાશયની જળસંગ્રહ શકિત કુલ ૪૬૪.૭૧ મીટર છે.

જીવંત સંગ્રહ શકિત ૪૪૪.૭૧ મીટર, મૃત સંગ્રહ શકિત ૧૯.૬૮ મીટર જયારે પૂર્ણ ભરાયેલા જળાશયોનો ધેરાવો ૪૬.૭૪ ચો.મીટર છે. જૉકે, જળાશય કાર્યરત થયું ત્યારથી તેમાં નદીના પાણી સાથે ઘસડાઇને આવતી માટી અને કાંપના કારણે બંધની પાણી સંગ્રહ શકિતમાં ઘટાડો થયો છે.

આ અંગે નાયબ કાર્યપાલક ઇજનેર જી.એચ.પટેલે જણાવ્યું હતું કે, ‘દર ચોમાસે વરસાદી પાણી સાથે ઘસડાઇને આવતી માટી અને કાંપને બહાર કાઢવા માટે કોઇ પ્રયાસ હાથ ન ધરાયો હોવાથી સ્ટોરેજ કેપેસીટી ૧૫થી ૨૦ ટકા ઘટી ગઇ છે’. આ અંગે વર્ક આસિ. હિતેન્દ્ર એન. ઠાકરે જણાવ્યું હતું કે ‘રાજય સરકાર ચેકડેમો, તળાવો બનાવવાની યોજના સાથે જળાશયોમાંથી કાંપ-માટી બહાર કાઢવાની યોજના અમલી બનાવે તો તેમાં પાણીનો સંગ્રહ વધારીને વધુ વિસ્તારને પિયતનો લાભ આપી શકાય તેમ છે.’

જળાશયના બાંધકામમાં ૧૬ ગામોની જમીન ડૂબમાં ગઇ હતી

દાંતીવાડા જળાશય બાંધકામ માટે રાવળાવાસ, માળીવાસ, રામસીડા(છાપરા), વડવસ, નાની ભટામલ, જૂઓળ, રાણાવાસ, ચેખલા, રામપુરા, અરણીવાડા, કરઝાને પુન: વસવાટ કરાવવામાં આવ્યો છે. જયારે જૉરાપુરા,ડેરી, બાટાવાડા, આવલ,રાજપૂરીયા ગામોની જમીન ડૂબમાં ગયેલી હતી. જેમાં ખેડાણ લાયક ૨૧૪૧.૪૬ હેકટર, નદીના તળિયાની ૯૪૯ હેકટર અને સરકારી, પડતર, ખરાબાની ૧૦૬૧.૩૪ હેકટર જમીનનો સમવેશ થાય છે.

આ વિસ્તારના ખેડૂતો જળાશયમાં ભરાયેલા માટી-કાંપને પોતાના ખર્ચે ખેતરોમાં લઇ જવા તૈયાર છે. જૉ સરકાર આ માટે મામુલી રોયલ્ટી ભરવાનું રાખે તો સરકારને આવક થાય અને જળાશયની સ્ટોરેજ કેપેસીટી વધારી શકાય.’ -હાથીભાઈ ચૌધરી, ખેડૂત, નીલપુર

દાંતીવાડા જળાશયમાં ભરાયેલી માટી-કાંપ જો ખેડૂત પોતાના ખેતરમાં પાથરે તો આ કાંપના કારણે ખેડૂતની જમીન આપોઆપ ફળદ્રુપ થઇ શકે છે અને ખેડૂતે મોંઘા ભાવના સેન્દ્રીય ખાતર વાપરવાની કોઇ જરૂરિયાત રહેતી નથી. આ કાંપમાં ભરપૂર પ્રમાણમાં પોષકતત્વો હોવાથી એકવાર ખેતરમાં નાંખવાથી લાંબા સમય સુધી સેન્દ્રીય ખાતરની જરૂરિયાત રહેતી નથી.’ -ડૉ.આર.એલ.પટેલ, પ્રો.કૃષ યુનિ.દાંતીવાડા

મડાણાનો શિવો અને મંગુ : એક દૂજે કે લિયે

મડાણાનો શિવો અને મંગુ : એક દૂજે કે લિયે

પુત્રના વિયોગમાં પત્નીએ માનસિક સંતુલન ગુમાવ્યું અને પોતાનું ઘરબાર છોડી હાઇ-વે પર છેલ્લા દશ વર્ષથી ચાલતી પત્નીની પાછળ તેના પડછાયાની જેમ તેની પાછળ તેનો પતિ પણ સતત ચાલ્યા જ કરે છે. આમ, પતિની પત્ની ભકિત જોઇ સૌ કોઇ આ બન્નેની જોડીને એક દૂજે કે લિયે સર્જાયા હોય તેમ માની રહ્યા છે.

મૂળ મડાણા ગામનું આ રાવળ દંપતી છેલ્લા દસ વર્ષથી આ માર્ગ ઉપર સતત આંટા-ફેરા લગાવતું રહે છે. મગજથી અસ્થિર જણાતા મંગુબહેન રાવળની પાછળ-પાછળ તેમના પતિ શિવાભાઇને પણ રઝળપાટ કરવો પડે છે. આ મહિલાની ચિથરેહાલ સ્થિતિમાંની કહાની કાંઇક આવી છે. મડાણા ગામમાં પતિ-પત્ની બન્નેે પોતાના મકાનમાં રહેતા હતા. દામ્પત્ય જીવન દરમિયાન મંગુબહેનને એક પુત્ર અવતર્યોહતો. પરંતુ તેનું થોડા સમયમાં જ મૃત્યુ થયું હતું. ત્યારે પુત્રનો વિયોગ માતાના કાળજાને ભારે આઘાત આપી ગયો હતો અને મંગુબહેન સુનમુન રહેતા છેવટે તેની અસર મગજ ઉપર થઇ અને બસ ઘર છોડી દીધું.

મંગુબહેનના પગલે શિવાભાઇ પણ મંગુબહેન જયાં-જયાં જાય ત્યાં શિવાભાઇ પડછાયો બની પાછળ ફરતા હતા. બીજી તરફ ઘરની દુર્દશા થઇ ગઇ અને મંગુબહેને ચંડીસરથી દાંતીવાડાનો હાઇ-વે ખૂંદવો શરૂ કર્યો. આજકાલ કરતાં છેલ્લા દસ વર્ષથી મંગુ આગળ અને તેની ચિંતા કરતો શિવો પાછળ-પાછળ ફરી રહ્યો છે. હવે શિવાના તો પગ પણ કામ કરતા નથી સતત ચાલવાથી પગ પણ કયાંક કયાંક પાકી ગયા છે.

પાટાપિંડી કરીને પણ મંગુબહેનની ખબર રાખતા શિવાભાઇ સવારથી સાંજ સુધી પત્નીના પગલે ચાલી રહ્યા છે. મડાણાના પીકઅપ સ્ટેન્ડમાં ઘરની તમામ ઘરવખરીના પોટકાં બાંધેલા છે. શિવાભાઇ કહે છે શ્નશ્નમંગુનું મારા સિવાય છે પણ કોણ ? કયારેક મંગુ રિસાઇ જતી રહે છે ત્યારે તેને શોધવા પણ ભાગવું પડે છે’’ મડાણાના બસ સ્ટેન્ડનું પીક અપ સ્ટેન્ડ રાવળ દંપતીનો મુકામ બન્યું છે. કૃષિ યુનિવર્સિટીની બસમાં અપડાઉન કરતાં કેટલાક નોકરિયાત આ દંપતીને તેમના ટિફિનમાંથી જમવાનું આપતા હોય છે.

પાંથાવાડા શાળાના આચાર્ય જે.એ. ભટ્ટ કહે છે શ્નશ્નછેલ્લા સાત વર્ષથી આ દંપતીને હું રોજ જૉઉં છું, હાઇ-વે ઉપરની આ શ્નજીવતી વાર્તા’ છે.’ પત્નીને સાચવવામાં વર્ષોથી હાઇ-વે ઉપર રઝળપાટ કરી દિવસો વીતાવતા અને શ્નએક દૂઝે કે લિયે’ બનેલા શિવો અને મંગુ આજે પણ તમને આ માર્ગે નીકળો તો જૉવા મળે છે.

પિયરમાં ન જવા દેતાં પરિણીતાએ ડેમમાં મોતની છલાંગ લગાવી


દાંતીવાડાની પરિણીતાને તેના સાસરીયાઓ દ્વારા પિયર જવા દેવામાં ન આવતાં પરિણીતાએ રવિવારે સવારે દાંતીવાડા ડેમમાં કુદી પડી મોતને વ્હાલું કરતાં ચકચાર મચી જવા પામી હતી.

સદ્ધિપુર ગામની આરતીબેન કુવાચીના લગ્ન આજથી ૭ માસ અગાઉ દાંતીવાડાના વિક્રમ સાથે થયા હતા. લગ્ન બાદ આરતીએ પિયર જવા માટે અનેકવાર તેના સાસરીયાઓએ કહેવા છતાં તેને પિયરમાં જવા ન દેતાં આરતીબેન (ઉ.વ.૧૯)એ રવિવારે વહેલી સવારે દાંતીવાડા ડેમના ગેટ નં.૧૦ ઉપરથી મોતની છલાંગ મારી જીવન ટુંકાવી દીધુ હતું. આ અંગે ડેમ સાઇડના ફરજ પરના ચોકીદાર એન.જે.પરમારે જણાવ્યું હતં કે ‘આજે સવારે ૮.૦૦ વાગ્યાની આસપાસ આ મૃતક બહેન ડેમ પર અવ્યા હતા.

જેમની વર્તણુકમાં અજુગતું લાગતું હતું અને જોતજોતામાં તેઓએ ગેટ નં.૧૦ નજીક ડેમના પાળા પરથી છલાંગ લગાવી હતી. આ ઘટનાની જાણ થતાં રામનગરના તરવૈયા ભવરસીંગ વાધેલા, અભેસીંગ વાધેલા, પ્રવીણસીંગ વાધેલા, ચુનીલાલ શંકરસીંગ વાધેલા તાબડતોડ ડેમ પર પહોંચી ગયા હતા અને ડેમમાં આરતીબેનની શોધખોળ શરૂ કરી હતી.

જે દરમિયાન ડેમમાંથી આરતીબેન મૃત હાલતમાં મળી આવતાં તેમની લાશને ડેમમાંથી ૯.૩૦ કલાકે બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ મતક મહિલાની લાશનું જેગોલ પી.એચ.સી. ખાતે પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. આ અંગેની ફરીયાદ પાંથાવાડા પોલીસ સ્ટેશને નોંધાતા પી.એસ.આઇ. એન.ડી.ચૌધરી આગળની તપાસ ચલાવી રહ્યા છે.

દાંતીવાડાની ગ્રામપંચાયતોમાં ચુંટણી જંગ ખેલાશે


દાંતીવાડા તાલુકાના ખાલી પડેલ ગ્રામ પંચાયતોની સરપંચ અને સભ્યોની ચુંટણી આગામી તા.૧૯-૧૦-૦૮ના રોજ યોજાનાર છે. ચુંટણી ઇરછુક ઉમેદવારોના ફોર્મ ચકાસણી અને પાછા ખેંચવાની મુદત વિત્યા બાદ ચુંટણીના લાડુ ખાનારાઓની લાંબી લાઇન લાગી છે.

પાંચ ગામોની ચુંટણી અંગેની વિગતો આપતાં નાયબ મામલતદાર અમૃતભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ‘કુરીયાવાડા ગ્રામ પંચાયત સમરસ બની છે. સમરસ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે મીયાણી અણદાભાઇ નગાભાઇ અને સાત સભ્યોમાં ચૌહાણ દવાભાઇ ચતુરભાઇ, ઢગોલ ગણેશભાઇ પ્રભુભાઇ, ચુનીબેન અમરાભાઇ પ્રજાપતિ, લુણવાતર લખમીબેન હેમાભાઇ, બોડાણા નરસાભાઇ આશાભાઇ, મીયાંણી મોહનભાઇ ધુડાભાઇ અનેે ઉગમાતર પોપટભાઇ વાલાભાઇ ના સમાવેશ થાય છે. જયારે અન્ય ચાર ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યો ચુંટણી મેદાનમાં છે.

વેળાવાસ ગામની એક વોર્ડની સભ્યોની ચુંટણીમાં ઇશ્વરજી કાળુજી મારવાડીયા અને નારણભાઇ કરશનભાઇ રબારી આમને સામને છે. જયારે શેરગઢ ગ્રામ પંચાયતના સરપંચની ચુંટણીમાં ત્રિપાખીયો જંગ ખેલાશે જેમાં નટવરભાઇ નાનજીભાઇ ડાયાણી, પરથીભાઇ રાજાભાઇ પાંત્રોડ અને હરીભાઇ રૂડાભાઇ પટેલે ઉમેદવારી નોંધાવેલ છે. જયારે ચાર વોર્ડની પણ ચુંટણી યોજાશે.

ઓઢવા ગામની સરપંચની ચુંટણીમાં પણ ત્રિપાખીયો જંગ છેડાયો છે જેમાં રૂપસિંહ હકજી સોલંકી, વજાજી વાઘાજી માળી, વિરજીભાઇ પ્રેમજીભાઇ ભૂતડીયાનો સમાવેશ થાય છે. આ સિવાય ત્રણ વોર્ડની ચૂંટણી યોજાશે.

ભીલાયલ ગામની સરપંચની ચુંટણીમાં ચાર પાંખીયો જંગ ખેલવા માટે અસતાબેન વિરસંગદીપા, બસુબા હરીસીગ વાધેલા, શણગારબા ભમરસિંહ દેવલ, સીતાબેન સુજાભાઇ મકવાણા મેદાનમાં ઉતર્યા છે. જયારે અહીં એક વોર્ડની સભ્યની ચુંટણી યોજાશે.

કોટડામાં યુવતી પર બળાત્કાર ગુજાનારો આરોપી ઝડપાયો


policeચાર માસ અગાઉ ગામની જ ૧૬ વર્ષિય કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો

દાંતીવાડા તાલુકાના કોટડા (જેગોલ) ગામમાં આજથી ચાર માસ અગાઉ એક ૧૬ વર્ષિય કિશોરી પર ગામના જ શખ્સે બળાત્કાર કર્યોહતો. જેને પોલીસે રવિવારે કોટડામાંથી ઝડપી લીધો હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આજથી ચાર માસ અગાઉ કોટડા ગામનો પોપટજી લક્ષ્મણજી કોળી (ઉ.વ.૩૦)એ ગામની જ ૧૬ વર્ષની કિશોરીને લલચાવી-ફોસલાવીને રાયડાના ખેતરમાં લઇ જઇને તેની પર બળજબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો.

આ અંગે ભોગ બનેલી યુવતીએ નોંધાવેલી ફરીયાદના આધારે પી.એસ.આઇ. એન.ડી. ચૌધરી એ તપાસ હાથ ધરી હતી. દરમિયાન રવિવારના રોજ પોલીસને મળેલી બાતમીના આધારે પોપટજીના ઘરે તપાસ કરતાં તે ઘરમાંથી ઝડપાઇ ગયો હતો અને જેલના સળીયા પાછળ ધકેલી દેવાયો હતો.

કૃષિ યુનિ.માં કોર્ષ મુદ્દે વિધાર્થીઓનો હંગામો

કૃષિ યુનિ.માં કોર્ષ મુદ્દે વિધાર્થીઓનો હંગામો

દોઢ કલાક સુધી કૃષિ યુનિ.ના દૂધનું ટ્રેકટર રોકી રાખતાં અફડા-તફડી મચી: વિધાર્થીઓએ ટૂંકાગાળાના કોર્ષ બંધ કરવાના મામલે હડતાળ પાડી :માંગણી નહીં સંતોષેતો વધુ જલદ આંદોલન કરીશું:કોલેજ ઇન્ચાર્જ જનરલ સેક્રેટરી

university.jpgદાંતીવાડા કૃષિ યુનિ. માં આવેલી વેટરનરી કોલેજના વિધાર્થીઓએ ટૂંકાગાળાના કોર્ષ બંધ કરવાના મુદ્દે પોતાની માંગણી ન સંતોષાતા વિધાર્થીઓ સોમવારની સાંજથી હડતાલ પર ઉતરી જઇ દૂધ લઇ જતાં ટ્રેકટરને રોકતાં ભારે અફડા-તફડી મચી ગઇ હતી. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે વેટરનરી કોલેજમાં ગયા વર્ષથી કત્રિમ બીજદાન પદ્ધતિ જેવા ટૂંકાગાળાના કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે.

આ પ્રકારના અન્ય વિષયના ટૂંકાગાળાના કોર્ષ બંધ કરાવવા માટે વિધાર્થી છેલ્લા ઘણા સમયથી પ્રયત્ન કરી રહ્યા હતા. પરંતુ યુનિ. દ્વારા વિધાર્થીઓની માંગણી ન સંતોષાતા સોમવારની સાંજથી હડતાલ પર ઉતરી ગયા હતા. જેમાં વેટરનરી કોલેજના વિધાર્થીઓએ કૃષિ યુનિ. ના વસાહતમાં રહેતા કર્મચારીઓને દૂધ પુરૂ પાડતાં ટેન્કરને વેટરનરી હોસ્ટેલ પાસેના રસ્તા વચ્ચે રોકી દેવામાં આવ્યું હતું.

જેનાથી દૂધ ખૂબ સમય રાહ જોવા છતાં પણ ન આવતા અને હડતાલની ખબર પડતા લોકોના અને તેમાં ખાસ કરીને ગૃહિણીઓના ટોળાં વેટરનરી હોસ્ટેલ તરફ આવ્યા લાગ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ વેટરનરી કોલેજના આચાર્ય ડો. વી.પી. વડોદરીયાને થતાં તેઓ અને પ્રોફેસર ડો. એમ.સી. દેસાઇ તાબડતોબ વેટરનરી હોસ્ટેલ પહોંરયા હતા અને વિધાર્થીઓને સમજાવતા આખરે દોઢ કલાક બાદ દૂધનું ટેન્કર ત્યાંથી રવાના થયું હતું. આ સમગ્ર ઘટનાને લઇને કેમ્પસમાં અફડા-તફડી મચી જવા પામી હતી.

આ અંગે વેટરનરી કોલેજના ઇન્ચાર્જ જનરલ સેક્રેટરી વૈભવસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, ‘યુનિ. ના સત્તાધીશો અમારી માંગણી નહીં સંતોષેતો અમો આનાથી પણ વધુ જલદ આંદોલન કરીશું.’

લાડુ તો ઘણા ખાધા..પણ આયુર્વેદિક આમળાનાં લાડુ જેવા કોઇ નહીં


શિયાળામાં શકિતવર્ધક વસાણાની ભારે માંગ રહે છે ત્યારે દાંતીવાડા કષિ યુનિ. દ્વારા આમળાના લાડુ બનાવી તંદુરસ્તીની સાથે સાથે આમળાના ખેડૂતો માટે નવા પ્રકારના ગૃહઉધોગનો માર્ગ સૂચવી ખેડૂતોને કમાણી કરવાની દિશા બતાવી છે.

ગુજરાતનો સમજુ ખેડૂત વર્ગ ચીલા ચાલુ ખેતી છોડીને અવનવી ખેતી કરવા આકર્ષાયો છે અને નવીન ખેતીના કારણે ખેડૂત વર્ગ આર્થિક રીતે દિવસે-દિવસે સદ્ધર થઇ રહ્યો છે. આજ રીતે ગુજરાતના ખેડૂતો આમળાની ખેતી તરફ આકર્ષાયા બાદ આમળાના ઉત્પાદનનો યોગ્ય ભાવ ન મળવાથી ચિંતામાં પડી ગયા હતા.

પરંતુ આવા ખેડૂતો માટે આનંદના સમાચાર છે કે દાંતીવાડા કષિ યુનિવર્સિટીના કષિ મહાવિધાલયના હોર્ટીકલ્ચર વિભાગના પ્રાઘ્યાપક ડૉ. એલ.આર. વર્માએ આ બાબતે ચિંતન કરીને આમળાના આયુર્વેદિક લાડુ ગુજરાતને ભેટ આપવાની ઇરછા શકિત દર્શાવી હતી. આ કામમાં આજ વિભાગના ખેતીવાડી મદદનીશ ડાહ્યાભાઇ એમ.પટેલ અને અન્ય સ્ટાફના સહયોગથી આ કાર્યને પાર ઉતારી હાલમાં આ વિભાગમાં આમળાના લાડુ ૮૦ રૂપિયે કીલોના ભાવે વેચાણમાં મુકેલ છે.

વિભાગ દ્વારા ઉત્પાદીત લાડુ ખરીદવા માટે લાઇનો લાગે છે પરંતુ સ્ટાફના અભાવે ઓર્ડરને પહોંચી વળવું શકય ન હોવાનું વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. આ લાડુ હજુ પ્રચલીત નથી પરંતુ એકવાર આ લાડુનો ટેસ્ટ કર્યા પછી ગ્રાહકોની માંગ વધુ પ્રમાણમાં આવે છે. આ સંજોગોમાં ગૃહ ઉધોગ માટે પણ આ ઉત્તમ માર્ગ છે અને આમળાની ખેતી કરતાં ખેડૂતો પણ જો પોતાને ત્યાં આ લાડુ બનાવી બજારમાં પહોંચાડે તો ખેડૂતને સારી કમાણી કરી આપતો આ માર્ગ ખેડૂતોએ અપનાવવાની સલાહ કષિ યુનિ. દ્વારા અપાઇ છે.

આમળાના લાડુ આરોગવાથી થતાં ફાયદા

કષિ યુનિ. ના પ્રાઘ્યાપક ડૉ. એલ.આર. વર્માએ જણાવ્યું હતું કે, ‘આ લાડુ સંપૂર્ણ આયુર્વેદિક છે અને આ લાડુમાં આર્યન, ફોસ્ફરસ વધુ મળવાથી આરોગ્ય માટે ઉત્તમ છે. જયારે લોહ તત્વની ઉણપ હોય તેવાઓ માટે તો આ લાડુ અક્ષીર છે.

સૈન્યમાં પ્રથમવાર વેટરનરી તબીબ ગુજરાતી: દેશમાં પ્રથમ


દાંતીવાડા કૃષિ યુનિ. નો એક યુવાન તાજેતરમાં બોર્ડર સિકયુરીટી ફોર્સમાં આસીસ્ટન્ટ વેટરનરી સર્જનની જગ્યા માટે સમગ્ર ભારતમાં જનરલ કેટેરગીમાં પ્રથમ ક્રમે પસંદગી થઇ છે. બનાસકાંઠાના વડગામ તાલુકાના મોટેટા ગામના વતની અને છેલ્લા ૧૦ વર્ષથી કૃષિ યુનિ. માં સ્થાઇ થયેલા વેટરનરી કોલેજના વિધાર્થી ડો. સંદિપ જોરાવરસિંહ ગઢવીની તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલી બી.એસ.એફ. માં આસીસ્ટન્ટ વેટરનરી સર્જનની જગ્યા માટેની ભરતી પ્રક્રિયામાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે પસંદગી થવા પામી છે.

આ ભરતી પ્રક્રિયામાં સમગ્ર દેશમાંથી કુલ ૪૮ ઉમેદવારોએ ભાગ લીધો હતો. જેમાંથી ૩ ઉમેદવારોની પસંદગી થઇ હતી. જેમાં ડો. સંદિપ ગઢવીની નિમણૂંક ગુજરાત ફ્રન્ટીયરમાં બાડમેર સેકટર ખાતે ૧૬૩ બટાલીયનમાં આસીસ્ટન્ટ વેટરનરી સર્જન તરીકે કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ડો. સંદિપ ગઢવી ઉત્તર ગુજરાત તેમજ પિશ્ચમ રાજસ્થાનમાં અશ્વ માટે એક નિષ્ણાત તબીબ તરીકે અશ્વ માલીકોમાં પ્રચલિત છે. તાજેતરમાં તેમના નેતૃત્વમાં દાંતીવાડા ખાતે રાજય કક્ષાના ત્રીજા વાર્ષિક અશ્વ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ડૉ. સંદિપની નિમણૂંક થતાં અશ્વ માલીકોમાં નિરાશા પ્રસરી છે.

આ અંગે અશ્વ પાલક તથા ઓલ ગુજરાત હોર્સ બ્રિડર્સ એસોસીએશનના ફાઉન્ડર વિરેન્દ્રસિંગ કાંકરીયાએ જણાવ્યું હતું કે, ‘ડો. સંદિપ ગઢવીની નિમણૂંક સૈન્યમાં થવાની અમને અપાર ખુશી છે. પરંતુ, અમારે અશ્વના એક સારા નિષ્ણાત ગુમાવાનું દુ:ખ પણ છે.

આ નિમણૂંક પામતા સંદિપ ગઢવીને આસીસ્ટન્ટ કમાન્ડન્ટની પણ જવાબદારી મળે છે. જેથી તેમને આગામી સમયમાં ટેકનપુર (મઘ્યપ્રદેશ) ખાતે ૩ મહિનાની હથિયાર અને શારિરીક તાલીમ લેવાની થશે. જો કે તેમને પોતાની ફરજ દરમિયાન મુખ્યત્વે સરહદ પર ઉટ, ઘોડા અને શ્વાનને તાલીમ અને સારવાર આપવાની રહેશે.

મતદાન ન કરવું એ લોકતંત્રનું અપમાન:બાબા રામદેવજી


baba ramdevબનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનના સાંચોર તાલુકાના પથમેડા ખાતે આવેલી શ્રી ગોધામ મહાતીર્થ આનંદવન ગૌશાળા ખાતે ૨૧ થી ૨૫ એપ્રિલ સુધી આયોજિત ‘કામધેનુ ક્રાંતી યોગ વિજ્ઞાન શિબિર’ માં ઉપસ્થિત યોગઋષી સ્વામી રામદેવજી મહારાજે ‘દિવ્ય ભાસ્કર’ ની તિલક મતદાનની ઝૂંબેશને આવકારી હતી,અને મતદાન ન કરવું તે દેશની સ્વતંત્રતાનું અને લોકતંત્રનું અપમાન છે. તો આપણે સૌ સો ટકા મતદાન કરીએ તેવી અપીલ મતદારોને કરી હતી..

રાજકીય શિક્ષણ આપવાના આપના હેતુમાં શંકા છે, તો આપનું શું કહેવું છે ?

કોઇએ પણ શંકા કે ચિંતા કરવાની જરાય જરૂર નથી. જે કોઇ લોકો ભારત સ્વાભિમાન ટ્રસ્ટને રાજકીય દ્દષ્ટિથી જુએ છે, તેમને ટ્રસ્ટના ઉદ્દેશથી બરાબર માહિતગાર થવું જોઇએ. અમે કોઇ પણ સારા લોકો માટે મુશ્કેલીકારક કે ચિંતાજનક નથી. માટે કોઇએ ભવિષ્યની વાતો વિચારીને ચિંતા કરવાની જરૂર નથી.

શું તમે ભવિષ્યમાં કોઇ રાજકીય પક્ષ સ્થાપશો કે કોઇને સહયોગ આપશો ?

ના, કયારેય નહીં, અમારુ કામ કોઇનો વિરોધ કરવાનું કે સમર્થન આપવાનું નથી. અમારુ કામ દેશમાં આરોગ્ય, ચરિત્ર અને નેતત્વ નિર્માણ કરવાનું છે અને જો તેનાથી દેશમાં સારા લોકો તૈયાર થાય તો તેમાં ચિંતાજનક શું છે ?

આગામી કેન્દ્રમાં સરકાર કયા પક્ષની રચાશે ?

સમગ્ર દેશ જાણે છે કે, દેશમાં આગામી સરકાર કોઇ એક પક્ષની તો નથી જ બનવાની. જે પણ બનશે તે તોડ-ફોડ કે ખરીદાઇ-વેચાઇને બનશે અને તે સરકાર દેશ માટે સૌથી ખતરનાક સાબીત થશે, માટે આવનારા પાંચ વર્ષ ભારતના રાજકારણ માટે સંકટકાળ હશે. આ સમયમાં અત્યાર સુધી જેટલી દેશની બરબાદી અને લૂંટ થઇ છે તેનાથી પણ બરબાદી અને લૂંટ આ પાંચ વર્ષોમાં થવાની છે.

તમારી દ્દષ્ટિએ લોકોએ કયા પક્ષને મત આપવો જોઇએ ?

લોકો કોઇપણ પક્ષને મત આપીને જીતાડે પરંતુ તે પક્ષ અવશ્ય રાષ્ટ્રીય પક્ષ હોવો જોઇએ. દેશમાં રાજય સ્તરના પક્ષો હશે ત્યાં સુધી રાષ્ટ્રની એકતા, અખંડીતતા પર પ્રશ્નાર્થ લાગશે. અમને વિધાનસભાની ચૂંટણીમાં રાજય સ્તરના પક્ષો જીતે તેમાં કોઇ વિરોધ નથી. પરંતુ જયારે રાષ્ટ્રીય સ્તરની ચૂંટણી હોય ત્યારે રાષ્ટ્રીય પક્ષને જ આગળ કરવા જોઇએ.

અત્યાર સુધીની કઇ સરકાર દેશ માટે સારી નીવડી છે?

દુર્ભાગ્યથી છેલ્લા ૬૦ વર્ષથી કોઇપણ સરકાર દેશ માટે સો ટકા સારી નથી નિવડી. કોઇપણ સરકારે બધા જ રાજયો સાથે સમાન વ્યવહાર નથી કર્યો. દેશના એકએક જિલ્લાના ભાગે જેટલા રૂપિયા વિકાસ માટે આવવા જોઇએ, તે કયારેય આપ્યા નથી. લાખ બેઇમાન હોવા છતાં પણ જો કેન્દ્ર અને રાજય સરકારે ઇમાનદારી પૂર્વક કામ કર્યું હોત તો, એક જિલ્લાના ભાગે દર વર્ષે ૧,૬૬૬ કરોડ રૂ. આવત. વર્ષ ર૦૦૮-૦૯માં કેન્દ્ર સરકારનું બજેટ ૮,૧૬,૦૦૦ કરોડ રૂ. હતું. પરંતુ દુર્ભાગ્યથી તે બજેટને પણ સમાનરૂપથી વિતરીત કરવામાં આવ્યું નથી.

શું સ્વીસ બેંકના કાળાં નાણાં દેશમાં પાછા આવશે ?

હા,જરૂર પરંતુ કોઇ એક સરકાર પર વિશ્વાસ કરી શકાય નહીં. દેશના લોકો જયારે આંદોલન કરશે. ત્યારે જરૂર સ્વીસ બેંકમાં પડેલા કાળા નાણાં દેશમાં પાછા આવશે. આ આંદોલનમાં અમે અમારી સંપૂર્ણ શકિત લગાડીશું. રસ્તાથી લઇને સંસદ સુધી સંપૂર્ણ દેશમાં ઉગ્ર આંદોલન કરીશું.

શું તમને લાગે છે કે રામમંદિરનું નિર્માણ થશે ?

જુઓ, રામ મંદિરનું નિર્માણ એ મોટો મુદ્દો નથી. તેનાથી પણ મહત્વનો મુદ્દો દેશમાં રામ જેવા ચારિત્રનું નિર્માણ કરવાનો છે.

શું યોગ અને પ્રાણાયામથી બીમારી પણ મટી શકે છે?

યોગ અને પ્રાણાયામથી કેન્સર અને અન્ય રોગ મટી જાય છે. તેવું અમે સેંકડો વાર કહી ચુકયા છીએ અને જયાં સુધી એઇડ્સની વાત છે. તો તેના મટી જવા વિષે અમે કયારેય દાવો નથી કર્યોઅને આજે પણ એટલું જ કહુ છું કે, યોગ અને પ્રાણાયામથી એઇડ્સમા વાયરલ લોડ ઘટે છે માટે થોડી રાહત થાય છે.

ચૂંટણીને લઇને દેશની જનતા માટે કોઇ સંદેશ ?

સૌ પ્રથમ તો મતદાનના દિવસે બધાજ લોકો અવશ્ય મતદાન માટે ઘરની બહાર નીકળી પોતે મતદાન કરે અને અન્ય ને પણ જાગૃત કરે. મતદાન ન કરવું તે દેશની સ્વતંત્રતાનું અને લોકતંત્રનું અપમાન છે. તો આપણે સૌ સો ટકા મતદાન કરીએ.

દાંતીવાડામાં ભરચોમાસે પણ આંબાના વૃક્ષ પર કેરી


Mango Treeફળોમાં જેને રાજાનું બિરુદ આપવામાં આવ્યું છે તે કેરીની સીઝન ઉનાળામાં હોય છે. એપ્રિલ અને મે મહિનામાં કેરીનો સ્વાદ માણ્યા વગર કોઇ રહી શકે નહીં. પણ કળીયુગની કમાલ કહો કે ફળોના રાજાની મોજ. રાજા કહેવાયા પછી આપોઆપ સ્વતંત્રતા મળી ગઇ હોય તે રીતે વગર સિઝને પણ ફળ બેસવાની એક ઘટના દાંતીવાડા કષિ યુનિવર્સિટીમાં બની છે.

દાંતીવાડા કષિ યુનિવર્સિટી ખાતે સંશોધન નિયામકની કચેરી પાસેના રોડ સાઇડમાં આવેલા એક આંબાના વૃક્ષ ઉપર આઉટ સિઝનમાં કેરીએ દેખા દેતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. આ સીઝનમાં વૃક્ષને નવી કુંપળો ફુટવાનો સમય હોય છે પરંતુ આ સમયે આંબા ઉપર કેરી ભાગ્યે જ જોવા મળે છે.

આ અંગે કષિ યુનિ. ના હોર્ટીકલ્ચર વિભાગના પ્રાઘ્યાપક ડૉ. એલ.આર. વર્માએ જણાવ્યું હતું કે ‘આંબાની અમુક જાતોમાં બે સીઝનમાં કેરી આવતી હોય છે. પરંતુ તે જાતોમાં પણ નવેમ્બર કે ડીસેમ્બરમાં કેરી આવે છે. ખરેખર ચોમાસામાં તો કયારેય કેરી આવતી જ નથી. આ કિસ્સામાં હવામાનમાં ફેરફારને કારણે આંબા પર કેરી આવી હોવાનું શકય બની શકે છે.’

સીપુ વસાહતના મતદાન બુથમાં ‘કમળ’ના ચિહ્નથી તર્ક-વિતર્ક


LOTUSબ્લેક બોર્ડ પર કમળનું ફુલ ચિતરાયું હતું

લોકસભાની ચૂંટણીમાં આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે ચૂંટણી અધિકારીઓ દ્વારા બાજ નજર રાખવામાં આવી હતી. જે દરમિયાન મતદાનના દિવસે દાંતીવાડા તાલુકાના સીપુ વસાહત મતદાન મથકમાં ચૂંટણી આચારસંહિતાનો ભંગ જોવા મળ્યો હતો.

આ વખતની ચૂંટણી આચારસંહિતાના નિયમ મુજબ મતદાન મથકમાં તેમજ મતદાન મથકની આજુબાજુની સો મીટરના વિસ્તારમાં કોઇ પણ પક્ષનું ચિન્હ કે અન્ય કોઇ નિશાની હોવી ન જોઇએ તથા કોઇ પણ રાજકીય પુરૂષના ફોટા પણ ન હોવા જોઇએ. તેમ છતાં પણ મતદાનના દિવસે જ ચૂંટણી આચારસંહિતાના નિયમોનું ફરજ પરના અધિકારીઓ દ્વારા સીપુ વસાહત મતદાન મથકમાં ખુલ્લેઆમ ભંગ થયો હોવાનું ચર્ચાતું હતું.

મતદાનના દિવસે સીપુ વસાહતના મતદાન મથકના બ્લેક બોર્ડ ઉપર ‘કમળ’નું ચિન્હ દોરેલું હોવા છતાં કોઇના ઘ્યાને આવ્યું ન હતું જેથી અનેક તર્ક-વિતર્ક ફેલાવા પામ્યા છે.

૩૦ છાત્રોને ખોરાકી ઝેરની અસર


studentઝાડા-ઊલટી થતાં વિધાર્થીઓને સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ખસેડાયા , રાત્રીના સમયે બનેલી ઘટનાથી યુનિવર્સિટીમાં અફડા-તફડી મચી ગઈ

સરદારકષિનગર દાંતીવાડા કષિ યુનિવર્સિટીમાં આવેલી વેટરનરી હોસ્ટેલની શિવાજી મેસમાં શુક્રવારના રોજ રાત્રી ભોજન કર્યા બાદ ૩૦ થી વધુ વિધાર્થીઓને ખોરાકી ઝેરની અસર થતાં હોસ્ટેલમાં અફડા-તફડી મચી જવા પામી હતી. ત્યારે ખોરાકી ઝેરના અસરગ્રસ્ત વિધાર્થીઓને તાબડતોબ પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ અંગેની વિગત એવી છે કે, વેટરનરી હોસ્ટેલની શીવાજી મેસમાં રોજના અંદાજીત ૮૦ થી વધુ વિધાર્થીઓ ભોજન કરતા હોય છે. જયાં શુક્રવારના રોજ રાત્રી ભોજનમાં પૌંઆ, રોટલી, મોગરની દાળ તથા દૂધનું ભોજન પિરસવામાં આવ્યું હતું. દરરોજની જેમ શુક્રવારે પણ ૮૦ થી વધુ વિધાર્થીઓએ ભોજન કર્યું હતું.

ભોજન કર્યા બાદ બધા વિધાર્થીઓ સૂઇ ગયા હતા. જયાં મોડી રાત્રે બે વાગે સૌપ્રથમ હીરેન સથવારા તથા સુરેશ પરમાર નામના બે વિધાર્થીઓને ખોરાકી ઝેરની અસર થતાં ઝાડા-ઊલટી થવા લાગી હતી. ત્યારબાદ વારાફરતી ૩૦ થી વધુ વિધાર્થીઓને તથા મેસમાં કામ કરવાવાળા બહેનોને પણ ખોરાકી ઝેરની અસર થતાં તેમને પણ ઝાડા-ઊલટી થવા લાગી હતી.

જેમાં જય ભાવસાર, ચેતન પટેલ, વિજય પરમાર, વિપુલ ચૌધરી, નરોત્તમ રાઠોડ તથા વિજય પટેલની હાલત ગંભીર જણાતી હતી. આ અંગેની જાણ વિધાર્થીઓ દ્વારા હોસ્ટેલ રેકટરને કરતા ડો. પાંડે અને ડો. પંકજકુમારે હોસ્ટેલમાં આવીને તમામ વિધાર્થીઓને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. જયાં ફરજ પરના તબીબે બધા વિધાર્થીઓને જરૂરી સારવાર આપી હતી. આ સમગ્ર ઘટના અંગે વિધાર્થીઓમાં દાળ ખાવાથી ખોરાકી ઝેરની અસર થઇ હોવાનું ચર્ચાતું હતું. કારણ કે મોટેભાગે જે વિધાર્થીઓએ દાળ ખાધી હતી તેમને જ આ તકલીફ થઇ હતી.

આ ઘટનાની જાણ થતાં કષિ યુનિવર્સિટીના વિધાર્થી કલ્યાણ નિયામક ડો. વિરસીંગ રાઠોડ, વેટરનરી ડૉ. ડી.વી. જોષીએ સિવિલમાં જઇ વિધાર્થીઓના ખબર અંતર પૂછયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી ૧૭ તારીખથી વિધાર્થીઓની પરીક્ષાઓ શરૂ થતી હોવાથી વિધાર્થીઓ આ સમગ્ર ઘટનાને લઇને ચિંતામાં મુકાયા છે. આજથી એક વર્ષ પહેલાં પણ પરીક્ષાઓના સમય દરમિયાન ૧૦૦ થી વધુ વિધાર્થીઓને ખોરાકી ઝેરની અસર થઇ હતી. જેથી અભ્યાસમાં તેજસ્વી પણ શારિરીક રીતે અસ્વસ્થ વિધાર્થીઓ પરીક્ષામાં વિધાર્થીઓ નાપાસ થયા હતા.

હોસ્ટેલના વિધાર્થીએ સતત ૧૦ કલાક મિત્રોની સેવા કરી

દાંતીવાડા કષિ યુનિવર્સિટીમાં ૩૦ થી વધુ વિધાર્થીઓને ખોરાકી ઝેરની અસર થતાં ઘટના દરમિયાન પરીક્ષા હોવાથી અન્ય વિધાર્થીઓ પરીક્ષાની ચિંતા કરતા હતા ત્યારે વેટરનરી કોલેજના વિધાર્થી સંજય જોષીએ પરીક્ષાનો સમય હોવા છતાં પણ સતત ૧૦ કલાક સુધી બિમાર વિધાર્થીઓની સેવા કરી હતી. તેમને પોતે એકલા હોવા છતાં પણ બિમાર વિધાર્થીઓને રાત્રી દરમિયાન દવા આપવી, પાણી આપવું સહિતની સેવાઓ આપી માનવતા અને મિત્રતા બંને ધર્મ નિભાવ્યા હતા.

અર્થ

મીંચેલી આંખે મળ્યો જ્યારે જાગરણનો અર્થ,
ત્યારે ખબર પડી કે છે શું આવરણનો અર્થ.

સંકોચ શું છે એની ખરી ત્યારે જાણ થઇ,
મૃગજળને જઇને પૂછ્યો મેં વહેતાં ઝરણનો અર્થ.

આબોહવા તો હોય છે – આબોહવાનું શું?
વાતાવરણ જો હોય તો વાતાવરણનો અર્થ ?!

છેવટનો અંત આવી ગયો સૌ પ્રયાસનો,
મારી નજીક એ જ છે મંગળાચરણનો અર્થ ?

નિષ્ઠુર છું – હું ચાહું તો તો હમણાં હસી શકું,
પણ એમાં દિલ ન લાગે તો શું આચરણનો અર્થ?

છૂટા પડી ગયા તો સમજદાર થઇ ગયા,
સમજી ગયા કે શું હતો એકીકરણનો અર્થ.

સ્વપ્નાની વાત કોઇને કહેતા નથી હવે,
સમજી ગયા છે ‘સૈફ’ હવે અવતરણનો અર્થ.

રમીએ

સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,

ચાલ મજાની આંબાવાડી! આવળબાવળ રમીએ.

બાળસહજ હોડી જેવું કંઈ કાગળ કાગળ રમીએ,

પાછળ વહેતું આવે જીવન, આગળ આગળ રમીએ.

માંદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવી,

બાધાને પણ બાધ ન આવે, શ્રીફળ શ્રીફળ રમીએ.

તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં,

છળના રણમાં છાનામાના મૃગજળ મૃગજળ રમીએ.

હોય હકીકત હતભાગી તો સંઘરીએ સ્વપ્નાંઓ,

પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ.

ફરફર ઊડતું રાખી પવને પાન સરીખું પહેરણ,

મર્મર સરખા પારાવારે ખળખળ ખળખળ રમીએ.

હુંય ગની, નીકળ્યો છું લઈને આખોપાખો સૂરજ,

અડધીપડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ.