Monday, December 28, 2009

બોર્ડરવિંગના જવાનોની છઠ્ઠા પગરપંચની માંગ

બોર્ડરવિંગના જવાનોની છઠ્ઠા પગરપંચની માંગ

ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા

ભારતમાં હંમેશા ખડેપગે આંતરિક સુરક્ષા કરી રહેલા બોર્ડરવિંગના જવાનોને તંત્ર દ્વારા પહેલા, ચોથા અને પાંચમાં પગારપંચનો લાભ આપવામાં આવ્યો છે. તેમ છતાં પણ ગુજરાતની ચાર બટાલીયનોના અંદાજે ૨૪૦૦ જેટલા સુરક્ષા કર્મીઓને તંત્ર દ્વારા છઠ્ઠા પગારપંચનો લાભ આપવામાં ઠાગા ઠૈયા કરવામાં આવો છે. જો કે ગુજરાત સરકારના નાણા વિભાગ દ્વારા અર્ધસરકારી કર્મચારીઓને છઠ્ઠા પગરપંચનો લાભ આપવા માટે ઠરાવ કરવામાં આવેલ છે. તેમજ આ પેહલા પણ બોર્ડરવિંગના જવાનોને ચોથા અને પાંચમા પગાર પંચનો લાભ મળેલ છે. માટે આ સુરક્ષા કર્મીઓને છઠ્ઠા પગારપંચનો પણ લાભ આપવાની માંગ કરી રહ્યા છે. આ અંગે બટાલીયન નં.૧ ના નારણદાસ રાઠોડે જણાવ્યું હતું કે ‘સરકાર દ્વારા અમને લોકોને ચોથુ અને પાંચમું પગાર પંચ આપેલ છે. છôું પગારપંચ આપવામાં કેમ વિલંબ કરાય છે. તો સરકાર અમારી સેવાની કદર કરીને અમને સત્વરે આ લાભ આપે તેવી અમારી માંગ છે.

દાંતીવાડામાં ધમધમતી માંસાહારી વસ્તુની હાટડીઓ

દાંતીવાડામાં ધમધમતી માંસાહારી વસ્તુની હાટડીઓ

ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા

દાંતીવાડા કોલોની ખાતે છેલ્લા કેટલાક સમયથી માંસાહારી વસ્તુઓની બિનઅધિકૃત હાટડીઓ ધમધમે છે. જે હાટડીઓમાં માંસાહારના શોખીન નશીલી વસ્તુઓનું સેવન કરી મજિબાની માણવા આવતા હોવાથી સમગ્ર વિસ્તારમાં મહિલાઓ સહિત લોકોને ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે રવિવારે બિનઅધિકૃત ચાલતી નોનવેજની હાટડીઓ પર એક પોલીસવાન પણ આવતાં લોકોમાં તર્ક-વિતર્ક ઉભા થયા હતા.

દાંતીવાડા કોલોની વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી માથાભારે ઇસમો દ્વારા બિનઅધિકૃત મટનનો વેપાર અને માંસાહારની ખાણી-પીણીની હાટડીઓ ખોલવામાં આવી છે. જે હાટડીઓ પર આખો દિવસ લુખ્ખા તત્વોની અવર-જવર રહે છે. દાંતીવાડા કોલોની વિસ્તારમાં ધમધમતી માંસાહારની હાટડીઓ પર સાંજ પડે કેટલાક નબિરા દારૂ જેવી નશીલી વસ્તુઓનું સેવન કરી માસાહારની મજિબાની માણવા આવી પહોંચે છે. જેથી આ વિસ્તારમાં મહિલાઓ સહિત લોકોને અવર-જવર કરવું પણ મુશ્કેલ બની ગયું છે માટે આ અંગે પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી દાંતીવાડાના લોકોમાં માંગ ઉઠી છે. પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે બિનઅધિકૃત ચાલતી માંસાહારી ચીજવસ્તુઓની હાટડી પર એક પોલીસ વાન આવી પહોંચી હતી. જેથી પોલીસ તપાસ કરવા આવી છે ? કે પછી હ’ો વસૂલવા ? અથવા તો નોનવેજની મજિબાની માણવા કે પછી કોઇ કાર્યવાહી માટે ? તેવા અનેક પ્રશ્નો અને તર્ક-વિતકો લોકમાં ઉભા થવા પામ્યા હતાં.

તર્કવિતર્ક

દાંતીવાડા કોલોની ખાતે નોનવેજની બિનઅધિકૃત હાટડીઓ ધમધમે છે.ત્યારે રવિવારે બિનઅધિકૃત ચાલતી નોનવેજની હાટડીઓ પર એક પોલીસવાન પણ આવતાં લોકોમાં તર્ક-વિતર્ક ઉભા થયા હતા - પ્રશાંત જોષી

વાઘરોળ ચાર રસ્તા પર સર્કલ બનાવવાની કામગીરી હાથ ધરાઈ

વાઘરોળ ચાર રસ્તા પર સર્કલ બનાવવાની કામગીરી હાથ ધરાઈ

ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા

દાંતીવાડા તાલુકાના વાઘરોળ ચાર રસ્તા પર છેલ્લા ઘણા સમયથી સર્કલના અભાવે અકસ્માતોની વણથંભી વણઝાર શરૂ થઇ હતી. દરમિયાન તંત્ર દ્વારા સર્કલ બનાવવાની કામગીરી શરૂ કરતાં પ્રજાજનોમાં આનંદની લાગણી પ્રસરી છે.

દાંતીવાડા ડેમ પર નવીન પુલ બનતા ચંડીસરથી પાંથાવાડા સુધીના માર્ગ વાહનોની અવર-જવર વધી હતી. જેથી માર્ગ પર અકસ્માતોમાં પણ વધારો થયો હતો. જેમાં વાઘરોળ નજીક આવેલા ચાર રસ્તા પર અત્યાર સુધીમાં જુદાજુદા માર્ગ અકસ્માતોમાં ૬ જેટલા લોકોના મોત અને ૬૦ જેટલા લોકોને ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેથી ચાર રસ્તા પર સર્કલ બનાવવા માટે માંગ ઉઠવા પામી હતી. દરમિયાન ગત રવિવારે જિલ્લા માર્ગ મકાન વિભાગ દ્વારા સર્કલ બનાવવાની કાર્યવાહીનો પ્રારંભ કરાયો હતો. જો કે તે પૂર્વ દબાણ હટાવવાની કાર્યવાહીમાં દુકાનદારો અને અધિકારીઓ વચ્ચે તૂં...તૂં... મેં...મેં... થવા પામ્યું હતું. અંતે સમજાવટથી મામલો થાળે પડાયો હતો.

આ અંગે જિલ્લા માર્ગ અને મકાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘ચાર રસ્તા પર સર્કલ બનાવી ત્યાં હેલોઝન લાઇટ ફીટ કરવામાં આવશે. આ ઉપરાંત ચારે તરફ ૬૧ મીટર જેટલો રસ્તો પહોળો કરવામાં આવેલો છે. અંદાજે રૂ. ૨ કરોડના ખચેઁ ડીસા, કાંટ, ભાખર અને વાઘરોળ સુધીના માર્ગનું કામ કરવામાં આવ્યું છે.

દાંતીવાડા કૃષિ.યુનિના ખેતીવાડી અધિકારીઓનું આંદોલન સમેટાયું

દાંતીવાડા કૃષિ.યુનિના ખેતીવાડી અધિકારીઓનું આંદોલન સમેટાયું

ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ખેતીવાડી અધિકારીઓને બઢતીથી વંચિત રખાતાં અન્યાય થતાં ખેતીવાડી અધિકારીઓને હડતાળ પર જવાની ફરજ પડી હતી. તેઓ તા.૧૪ ડિસેમ્બરથી પ્રતિક ઉપવાસ પર ઉતયૉ હતા. ત્યારબાદ તા.૨૧ ડિસેમ્બરથી આમરણાંત ઉપવાસ શરૂ કયૉ હતા.

જેના અનુસંધાને તા.રર ડિસે. કુલપતિની કચેરીમાં કૃષિ યુનિ.ના કુલપતિ સંશોધન નિયામક, કુલસચિવ તથા ખેતીવાડી અધિકારી મંડળના પ્રતિનિધીઓ સાથે કુલપતિના અધ્યક્ષપણા હેઠળ બઢતી આપવા બેઠક યોજાઇ હતી. જેમાં બઢતી બાબતે સુખદ સમાધાન થયું હતું. જે અંતર્ગત કૃષિ યુનિ.ના કુલસચિવ અને વૈજ્ઞાનિકોની ઉચ્ચ કક્ષાની કમિટિ બનાવી સત્વરે બઢતી આપવાનો નિર્ણય લીધો છે. જેથી ખેતીવાડી અધિકારી મંડળે પોતાનું આંદોલન તાત્કાલિક અસરથી પરત ખેંચી લીધું હોવાનું ખેતીવાડી અધિકારી મંડળના સૂત્રોએ જણાવ્યું હતું.

દાંતીવાડા કૃષિ યુનિ.ના કર્મીઓએ આંદોલન છેડયું

દાંતીવાડા કૃષિ યુનિ.ના કર્મીઓએ આંદોલન છેડયું

ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓએ બઢતીના મુદ્દે સોમવારે આમરણાંત ઉપવાસનું આંદોલન શરૂ કર્યું હતું અને જો માંગણી નહીં સંતોષાય તો આંદોલન જલદ બનાવવાની ચિમકી ઉચ્ચારી હતી.

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ખેતીવાડી અધિકારી તરીકે છેલ્લા ૨૦ વર્ષથી ફરજ બજાવતા ૫૫ થી વધુ કર્મચારીઓ રાજય સરકારના નીતિ નિયમ મુજબ મદદનીશ પ્રાધ્યાપક તથા મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક તરીકે બઢતી ન અપાતા ૧૦ ડિસેમ્બરથી ૧૩ ડિસેમ્બર સુધી કાળી પટ્ટી ધારણ કરી કામથી અળગા રહ્યા હતા. ત્યારબાદ ૧૪ ડિસેમ્બરથી ૨૧ ડિસેમ્બર સુધી પ્રતીક ઉપવાસ કયૉ હતા. તેમ છતાં પણ યુનિ. તંત્ર દ્વારા કોઇ નિર્ણય ન લેવાતા અને અધિકારીઓએ મુલાકાત ન લેતાં આખરે સોમવારે આમરણાંત ઉપવાસ શરૂ કયૉ હતા.

આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, જુનાગઢ, આણંદ અને નવસારી કૃષિ યુનિવર્સિટીના તમામ ખેતીવાડી અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. જયારે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા ૭૪ ખેતીવાડી અધિકારીઓમાંથી માત્ર ૧૫ અધિકારીઓને જ મદદનીશ પ્રાધ્યાપક તરીકે બઢતી આપવામાં આવી છે. જેથી માંગણી નહીં સંતોષાય તો આંદોલન ઉગ્ર બનાવીશું.’

Sunday, December 20, 2009

Dantiwada

રાષ્ટ્રીય એકતા માટે વૃદ્ધની સાઇકલયાત્રા

Bhaskar News, Dantivada
Friday, August 21, 2009 02:30 [IST]
Bookmark and Share

ગાંધીનગરના પાનસરમાં અગરબત્તીના વ્યવસાયીની ગાંધીનગરથી અજમેર સુધીની અનોખી યાત્રા

રાષ્ટ્રીય એકતા માટે અજમેરની વાજા ગરીબ નવાઝની દરગાહ તરફ સાયકલયાત્રાએ નિકળેલા મૂળ રાન્તાઇના વતની અને અત્યારે ગાંધીનગરમાં પાનસરમાં અગરબત્તી બનાવવાનો ગૃહ ઉધોગ ચલાવનાર ૬૨ વર્ષિય બુઝુર્ગ અમરસિંહ વાધેલામાં આટલી ઉમર હોવા છતાં પણ યુવકને શરમાવે તેવી સાહસિકતા અને જુસ્સાના દર્શન થાય છે. તેમજ તેમની સાથે વાતચીત કરતા તેમનામાં રહેલી ઇશ્વરમાં અથાગ શ્રદ્ધા અને ભાઇચારાનીવૃત્તિ પણ છુપી રહેતી નથી.ગાંધીનગરના પાનસરમાં અગરબત્તીનો ગહ ઉધોગ ચલાવનાર અને સદ્દભાવનાના હેતુ સાથે નિકળેલા ૬૨ વર્ષિય બુઝુર્ગ સાઇકલયાત્રી અમરસિંહભાઇ વાધેલા સોમવારના રોજ જયારે દાંતીવાડા કોલોની ખાતે આવી પહોંરયા ત્યારે સ્થાનિક લોકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બુઝુર્ગ સાઇકલયાત્રી પોતાની યાત્રા દરમિયાન વચ્ચે આવતા દરેક ગામે યુવાનોને મળે છે અને તેમને રાષ્ટ્રીય એકતાની શીખ આપે છે. આ અંગે અમરસિંહભાઇએ જણાવ્યું હતું કે, ‘આજે પણ રોજના ૭૦ કિ.મી. અંતર કાપું છું. વિશ્વમાં તેમજ ગુજરાતમાં સદ્દવિચાર તથા ભાઇચારો પ્રવર્તે તે મુય ઉદ્દેશ છે. યાત્રા દરમિયાન માર્ગમાં આવતા ગામોમાં યુવાનોને મળીને રાષ્ટ્રીય એકતામાં યુવાનનું મહત્વ સમજાવું છે. જો કયારેક સમય મળે છે તો ગામની શાળામાં જઇને વિધાર્થીઓને પણ રાષ્ટ્રીય એકતા અંગે સમજાવું છું. આ મારી ત્રીજી સાઇકલ યાત્રા છે.

નવોદય વિધાલયના વિધાર્થીઓની હડતાળ

Bhaskar News, Dantivada
Friday, August 28, 2009 04:06 [IST]
Bookmark and Share

શિક્ષકોના અભાવે વિધાથીઓએ ગુરુવારે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું, ૩૪ છાત્રોએ ઘરની વાટ પકડી, આઠ વિધાર્થિનીઓને તેમનાં વાલીઓ લઇ ગયાં

દાંતીવાડા તાલુકાના દાંતીવાડા કોલોની ખાતે આવેલી જિલ્લાની એકમાત્ર જવાહર નવોદય વિધાલયમાં ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) માં અભ્યાસ કરતાં વિધાર્થીઓએ ગુરુવારના રોજ શિક્ષકોના અભાવે આખરે ઘરની વાટ પકડી હતી. જો કે શિક્ષકોના અભાવે વિધાર્થી ચાલ્યા જતા તેમના ભવિષ્ય પર માઠી અસર પડી રહી છે.જવાહર નવોદય વિધાલય, દાંતીવાડા ખાતે ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) માં અભ્યાસ કરતા ૩૪ વિધાર્થીઓ અને ૮ વિધાર્થીનીઓ મળીને કુલ ૪૨ વિધાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહના રસાયણ શાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર અને ગણિત વિષયના વિષય શિક્ષકો સ્થાયી રૂપે છેલ્લા ઘણા સમયથી ન આવતા ગુરુવારના રોજ રોજિંદો અભ્યાસ છોડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) માં અભ્યાસ કરતા ૩૪ વિધાર્થીઓએ સંસ્થાને કોઇપણ પ્રકારની જાણ કર્યા વગર કંટાળીને ઘરે જતા રહ્યા હતા. જો કે ૮ વિધાર્થીનીઓ ઘરે ન જતા કેમ્પસ ખાતે જ રહી હતી. પરંતુ આ પ્રકારનો બનાવ બનતા વિધાર્થીનીઓ ગભરાઇ ગઇ હતી. જેથી સંસ્થા દ્વારા વિધાર્થીનીઓના વાલીઓને જાણ કરીને વિધાર્થીનીઓને બે દિવસ માટે ઘરે લઈ જવાની સૂચના આપવામાં આવતા વાલીઓએ આવીને ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) માં અભ્યાસ કરતી ૮ વિધાર્થીઓને ઘરે લઇ ગયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) એ વિધાર્થીઓ માટે ખુબ જ અગત્યનું વર્ષ ગણાય છે. ત્યારે આ પ્રકારે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત વિધાલયમાં વર્ષના પ્રારંભ થી જ મુખ્ય વિષયોના શિક્ષકોની ભરતી ન કરવી તે પ્રકારે વિધાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં છે. તેમજ આ વિધાલય દ્વારા દર મહિને સ્ટાફની સ્થિતીનો સમિક્ષા રીપોર્ટ ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવતો હોવા છતાં પણ સરકારના ઘ્યાને આ વાત ન આવી તે પણ એક તપાસનો વિષય છે. જો કે આ ઘટના અંગેની જાણ મામલતદાર પીનાકીન શાહને થતા તેઓ તાબડતોબ નવોદય વિધાલય ખાતે પહોંચી ગયા હતા અને વિધાર્થીઓનું ભવિષ્ય ન બગડે તેનું ઘ્યાન રાખવા જણાવ્યું હતું.


‘એક ગોળી એક દુશ્મન’

Bhaskar News, Dantiwada

દાંતીવાડા તાલુકામાં આવેલા બોર્ડર સિકયુરીટી ફોર્સની ૯૯ બટાલીયન દ્વારા આયોજીત ઇન્ટર બટાલીયન રાયફલ શુટીંગ સ્પર્ધાનો દાંતીવાડા ફાયિંરગ રેંજ પર સોમવારે પ્રારંભ થયો હતો. જે દરમિયાન ફાઇરીંગના અવાજથી બી.એસ.એફ. કેમ્પસ ગુંજી ઉઠયું હતું.

ભારતની મોટાભાગની બધી જ સરહદોની સુરક્ષા કરતા તથા દેશની આંતરીક સુરક્ષા, લાઇન ઓફ કંટ્રોલ અને દેશના કેટલાક નકશલથી પ્રભાવીત ક્ષેત્રોમાં સુરક્ષાની કામગીરી કરી રહેલાત બોર્ડર સિકયુરીટી ફોર્સ દ્વારા સૈન્યના જવાનો માટે તેમની માનસીક ક્ષમતા, શારિરીક ક્ષમતા વિકસાવવા માટે અવાર-નવાર અનેક સ્પર્ધાઓ તથા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત સોમવારના રોજ ગુજરાત ફ્રંટીયરની દાંતીવાડા ખાતે આવેલી ૯૯ બટાલીયન દ્વારા દાંતીવાડા ફાઇરીંગ રેંજ પર શુટીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ફ્રંટીયરની વિવિધ બટાલીયનો વરચે ઇન્ટર બટાલીયન શુટીંગ સ્પર્ધાનો પ્રારંભ ‘એક ગોળી એક દુશ્મન’ ના સુત્ર સાથે ડૉ. આર. ચંદ્રમોહન (ડી.આઇ.જી., બી.એસ.એફ., ગાંધીનગર) દ્વારા કરવામાં આવ્યો હતો. આ સ્પર્ધા તા. ૯ નવેમ્બરથી ૧૬ નવેમ્બર સુધી ચાલશે. આ સ્પર્ધામાં બોર્ડર સિકયુરીટી ફોર્સની અલગ-અલગ બટાલીયનની કુલ ૧૧ ટીમોના ૯૦૦ થી પણ વધુ જવાનોએ ભાગ લીધો છે. જેમાં આ ૧૧ ટીમો વરચે વિવિધ હથિયારોની ૧૦ શુટીંગ સ્પર્ધાઓ યોજાશે. કુલ ૮ દિવસ ચાલનારી આ સ્પર્ધાઓ દિવસ અને રાત બંન્ને સમયે યોજાશે.

આ સ્પર્ધામાં જવાનો દ્વારા ૪૦૦ મી., ૩૦૦ મી., ૨૦૦ મી. અને ૧૦૦ મી. ના અંતરની સ્પર્ધા યોજાશે. જેમાં જવાનો દ્વારા ટાર્ગેટ પોઇંટ પર ઉભુ કરવામાં આવેલ પુતળા પર નિશાન તાકવાનું હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ફાઇરીંગ રેંજ પર સ્પર્ધા સિવાયના સમયમાં જવાનો ૬૦૦ મી. ના અંતર સુધી પણ ફાઇરીંગનો અભ્યાસ કરતા હોય છે. આ પ્રકારની સ્પર્ધા કરવાનો મુખ્ય ઉદ્દેશ જવાનોમાં રહેલી ફાઇરીંગ કરવાની કળાને નિખારવાનો છે તથા ફાઇરીંગ દરમિયાન જવાનોમાં આત્મવિશ્વાસ વધે તથા મજબુત થાય અને સારા ફાઇરીંગ કરનાર જવાનની અન્ય જવાનોને પ્રેરણા મળે તે માટેની છે. આ પ્રસંગે ૯૯ બટાલીયનના કમાન્ડર આર.પી.એસ.મલીક તથા ડેપ્યુટી કમાન્ડર ઉદયપ્રતાપસિંહ ચૌહાણ તથા અન્ય બટાલીયનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


પાંથાવાડા માર્કેટયાર્ડમાં હડતાળ

Bhaskar News, Dantiwada, Panthawada

પાંથાવાડા માર્કેટયાર્ડના ચેરમેન સામે નોંધાયેલી ફરિયાદના વિરોધમાં વેપારીઓએ રેલી યોજયા બાદ ખેતીની ઉપજની લે-વેચનું કામ બંધ કરતાં માર્કેટયાર્ડમાં અનાજની બોરીઓના ગંજ ખડકાઇ ગયા છે. જેના કારણે ખેડૂતો તેમજ માર્કેટયાર્ડના શ્રમિકો ભારે મૂશ્કેલીમાં મુકાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પાંથાવાડા ખેતીવાડી ઉત્પન્ના બજાર સમિતિના ચેરમેન રેસાભાઇ પટેલ સહિત પાંચ વેપારીઓ પર બળદેવભાઇ પ્રજાપતીએ રૂ. ૩૮ લાખની ઠગાઇની ફરિયાદ પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જે ફરિયાદ ખોટી હોવાના મુદ્દે વેપારીઓ દ્રારા વિશાળ રેલી યોજી બુધવારે રજૂઆત કરી હતી તેમજ આ કેસ પાછો ખેંચવા માટે સોમવારથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જતાં છેલ્લા ત્રણ દિવસથી માર્કેટયાર્ડમાં અનાજની બોરીઓના ગંજ ખડકાઇ ગયા છે.

આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે, ‘માર્કેટયાર્ડમાં વેપારીઓની હડતાળને કારણે ખેતીની ઉપજ વેચવા આવતાં ડીસા, પાલનપુર, ધાનેરા, દાંતીવાડા તથા રાજસ્થાનના ખેડૂતો પારવાર મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. જેઓ દૂરદૂરથી આવતાં હોવાથી વાહનનું ડબલ ભાડું ચૂકવવું ન પડે તે માટે ખેતીની ઉપજ માર્કેટયાર્ડમાં જ મૂકી રાખતાં લગભગ ૪૦,૦૦૦ કરતા પણ વધુ બોરી અનાજનો ભરાવો થયો છે.

ફરિયાદ ખોટી છે

‘ચેરમેન સામે ફરિયાદ કરનાર વેપારીએ અગાઉ માર્કેટયાર્ડમાં મોટી ઠગાઇ કરી છે. જેમાં ચેરમેન સામે નોંધાવેલી ફરિયાદ તદ્દન ખોટી છે. જયાં સુધી પોલીસ દ્રારા સી-સમરી નહીં ભરાય ત્યાં સુધી માર્કેટયાર્ડ સંપૂર્ણપણે બંધ રહેશે.’- અજીતસિંહ સી. રાઠોડ, પ્રમુખ, વેપારી એસોસીએશન, પાંથાવાડા માર્કેટયાર્ડ



ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા

‘ભાડાની ગાડી કરીને મગફળી લઇને યાર્ડમાં ભરાવવા માટે આવ્યા હતા પરંતુ માર્કેટયાર્ડ બંધ હોવાના કારણે મુશ્કેલીમાં મુકાયા છીએ.’ - વનાજી સોમાજી માળી, ખેડૂત, સોનેરા-રાજસ્થાન



લાખો રૂપિયાનો વહેપાર અટકયો

પાંથાવાડા માર્કેટયાર્ડમાં રોજની ૧૦ હજાર બોરીની આવક થાય છે. પરંતુ વેપારીઓની અચોક્કસ મુદ્દતની હડતાલના કારણે તમામ કામકાજ ઠપ થઇ જતાં લાખો રૂપિયાનો વ્યવહાર અટકી ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

amir khan in Dantiwada

આમિર ખાને ગુજરાતને સરપ્રાઇઝ આપી

Prashant Joshi, Dantiwada

aamir3_310- ફિલ્મ અભિનેતા શાળામાં બે કલાક રોકાયા: ડાંગીયા નજીકના વિનય મંદિરમાં આમીર ખાને ભોજન, ક્રિકેટ રમીને ભેટસોગાદો આપી

કોઇને કલ્પના ન હતી કે, ફિલ્મ અભિનેતા આમીરખાન શાળાનો મહેમાન બનશે. પાલનપુર નજીક આવેલા ડાંગીયા ગામની લોકનિકેતન વિનય મંદિરમાં ગુરુવારે બપોરે અચાનક જ આવી ગયેલા આ ફિલ્મ અભિનેતાને શરૂઆતમાં કોઇ ઓળખી શક્યું નહતું. પરંતુ ઓળખાણ બાદ શાળાના વિદ્યાર્થીઓ સાથે ભોજન લઇને ક્રિકેટ રમ્યા હતા અને ઇંગ્લીશમાં એકે લખેલી સોનાની વીંટીઓની ભેટ આપી હતી.

આમીરખાનની ‘થ્રી ઇડિયટ્સ’ ફિલ્મના પ્રચાર માટે અજામાવાયેલા અજ્ઞાતવાસના નુસખાને લઇને દેશમાં અત્યારે આમીરખાને અલ્ટનેટ રીયાલીટી ગેમ નામનો એક સ્પર્ધાત્મક કાર્યક્રમ શરૂ કર્યો છે. જેમાં ખુદ આમીરખાન જુદાજુદા વેશ પલટા કરીને ભારતના જુદાજુદા શહેરોમાં ફરે છે અને છેલ્લે તે શહેર છોડતા પહેલાં એક કાગળ પર પંક્તિમાં પોતે આગળ કયા શહેરમાં જશે તે લખીને કાગળ છોડતા જાય છે. આ સમય દરમિયાન જો કોઇ વ્યક્તિ તેમને ઓળખી લે છે તો તે વ્યક્તિને આમીરખાન વિમાન દ્વારા પોતાના ઘરે ૩૧ ડિસેમ્બરની ઉજવણીમાં બોલાવે છે.

આ કાર્યક્રમ અંતર્ગત પાલનપુર નજીક આવેલા ડાંગીયા ગામની લોકનિકેતન વિનય મંદિરમાં ગુરુવારે બપોરે ૧૨-૦૦ વાગ્યાના સુમારે અચાનક કાળુ ટી શર્ટ, જીન્સ પેન્ટ અને શુઝમાં સજજ થઇને આવી પહોંચ્યા હતા. જો કે એકાએક આવી પહોંચેલા આમીરખાનને શાળામાં કોઇ ઓળખી શક્યુ ન હતું. જેથી આચાર્યને પોતાની ઓળખાણ આપી સંસ્થા વિશે માહિતી મેળવી હતી. તેમજ શાળાના ઉદ્દેશો જાણ્યા હતા.

તેમણે વિદ્યાર્થીઓને મળવાની ઇચ્છા વ્યક્ત કરતા આમીરખાનને ધોરણ ૭થી ૧૦ના વિદ્યાર્થીઓને મળવા માટે લઇ ગયા હતા. જ્યાં બાળકો સાથે ગપસપ કરી હતી. કેટલાક વિદ્યાર્થીઓને ગીત પણ ગવરાવ્યું હતું. તેમજ આમીરખાનનો ફોટો હંમેશા પોતાની સાથે રાખતા એક વિદ્યાર્થીને ગળે લગાવી વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ કરીને દેશ માટે કામ કરવાની શીખ આપી હતી. તેઓ બાળકો સાથે ક્રિકેટ પણ રમ્યા હતા. અંતમાં એક વિદ્યાર્થીની સાથે તેના ટીફીનમાં ભોજન લીધુ હતું.

aamir2_310આમીરખાને પોતાની મુલાકાત દરમિયાન શાળાને બે ક્રિકેટના બેટ, દડા અને બે ફૂટબોલ અર્પણ કર્યા હતા અને ૨ વાગ્યાની આસપાસ તે ત્યાંથી નીકળી ગયા હતા. આમ, અંદાજે ર કલાકના સમય દરમિયાન વિદ્યાર્થીઓએ સાથે રહીને આમીરખાન એકાએક ત્યાંથી ગાયબ થઇ ગયા હતા. જો કે તે ત્યાંથી કયાં ગયા તેની કોઇને જાણ નથી.

અત્રે ઉલ્લેખનિય છે કે, અલ્ટનેટ રીયાલીટી ગેમ કાર્યક્રમ અંતર્ગત આમીરખાન કુલ ૭ શહેરોમાં જવાના છે. જયાં તે અલગ-અલગ વેશ પલટો કરીને ફરશે. અત્યાર સુધી તેઓ ૫ શહેરોમાં જઇ આવ્યા છે. જેમાં વારાણસીમાં વૃદ્ધનો વેશ ધારણ કરીને ફર્યા બાદ કરીનાકપૂર સાથે મધ્યપ્રદેશના ચંદેરી જિલ્લાના પ્રાનપુર ગામમાં એક હેન્ડલુમ કારીગરના ત્યાં રાત્રી રોકાણ કરીને ભોજન લીધું હતું અને સાડીમાં ભરત ભરવાની કામગીરી શીખ્યા હતા. છેલ્લે કલકત્તા શહેરમાં ફર્યા હતા. જયાં સૌરવ ગાંગુલીના ત્યાં ગયા હતા. જયાં વોચમેને તેમને પ્રવેશ નહતો આપ્યો. બાદમાં સૌરવ ગાંગુલીને બોલાવીને તેના ઘરે ગયા હતા.

આમીરખાને પાલનપુર આવતા પહેલા સૌરવ ગાંગુલીના ત્યાં એક કાગળ છોડ્યું હતું. જેમાં લખ્યું હતું કે,

કૈસી હૈ યહ ભૂલ ભુલૈયા,
સાત દરવાજે ઇસ શહર મેં ભૈયા,
કિસસેં જાઉં, કેસે જાઉં,
ડરતા હું કહિઁ ખો ન જાઉં,
ફુલો કે ઇસ શહર મેં,
કયોં ન થોડા વકત બિતાઉ,

જો કે તેને પાલનપુર છોડતા પહેલા ડાંગીયા ગામના લોકનિકેતન વિનય મંદિર શાળામાં એક કાગળ છોડ્યું હતું. જેમાં લખ્યું હતું કે,

લૈલા કી બર્થડે મેં જાઉં,
યા ફરીદ કી શાદી મેં ગાઉં,
કોટ પહન કે મેં ઇતરાઉ,
યા શેરવાની મેં સજ જાઉં,

આમ, આ કાગળના લખાણ પરથી હવે લોકો શોધે છે કે, આમીરખાન હવે કયા શહેરમાં હશે.

aamir1_310આમીરે મુંબઇ આવવાનું આમંત્રણ આપ્યું

પાલનપુર નજીકના ડાંગીયા ગામની લોકનિકેતન વિનયમંદિર શાળામાં આવેલા આમીરખાને કેટલાક લોકોને પોતાના ઘેર આગામી ૨૩ ડિસેમ્બરના રોજ આયોજીત પાર્ટીમાં પધારવા માટેનું નિમંત્રણ પાઠવ્યું હતું. તેમજ તેમને હવાઇ માર્ગે આવવા જવાનો તમામ ખર્ચ પણ આમીરે આપવાનું જણાવ્યું હતું. જેમાં ભરતસિંહ રાજપૂત (આચાર્ય), વિષ્ણુભાઇ પટેલ (શિક્ષક), કરશનભાઇ પ્રજાપતિ(પટાવાળા) તથા તેમનો પુત્ર માધાભાઇ પ્રજાપતિને આમંત્રણ આપ્યું હતું.

ભરતસિંહ રાજપુત (આચાર્ય, લોકનિકેતન વિનય મંદિર, ડાંગીયા)

શાળામાં ૧૩ ડિસેમ્બરના રોજ મુંબઇથી એક ફોન આવ્યો હતો. જેમાં સામેના વ્યક્તિએ કહ્યું હતું કે, ‘અમારી એક ટીમ આવતા ૪-૫ દિવસમાં આપની શાળાની મુલાકાત લેશે. પરંતુ કોણ આવશે, કેટલા આવશે કે શા માટે આવશે તેવી કોઇ જાણકારી આપી ન હતી. માટે અમે કંઇ ખાસ નોંધ નહતી લીધી. પરંતુ ગુરુવારના રોજ આમીરખાન સાથે આવેલી ટીમના સભ્યોએ અમને જાણ કરી કે ફોન અમે લોકોએ જ કર્યો હતો.’

મકબુલખાન અબ્બાસખાન ચૌહાણ (વિદ્યાર્થી, ધોરણ-૯)

આમીરખાન જયારે અમારા વર્ગમાં આવ્યા ત્યારે મેં તેમને મારી પાસે રહેલો તેમનો ફોટો બતાવ્યો હતો. જે દેખીને તેઓ ખુશ થઇ ગયા હતા અને મને ગળે લગાડીને કીસ કરી હતી. આ ફોટો હું હંમેશા મારી સાથે જ રાખું છું.

ક્રિષ્ણાબેન દલપતભાઇ પ્રજાપતિ (વિદ્યાર્થીની, ધોરણ-૯)

આમીરખાને મને ગુજરાતી ગીત ગાવાનું કહ્યું હતું જેમાં મેં તેમને ‘વનમાં બાંધી ઝુંપડી’ ગીત સંભળાવ્યું હતું. ત્યારબાદ તેમને આ ગીત વિશે વિસ્તૃતમાં માહીતી મેળવી હતી.

વિષ્ણુભાઇ બી. પટેલ (સહ શિક્ષક, લોકનિકેતન વિનય મંદિર, ડાંગીયા)

આમીરખાને મને પુછયુ હતુંકે તમે કેટલા વર્ષથી શિક્ષક છો અને કયો વિષય ભણાવો છે. ત્યાર બાદ કહ્યું હતું કે તમે ઘણા વર્ષોથી શિક્ષકરૂપે સમાજની સેવા કરો છો તો હું તમને સોનાની વીંટી ભેટમાં આપું છું. જેથી તમે દરરોજ મને યાદ કરો.

aamir_khan_gujarat_310_01

Dantiwada in Divya bhaskar

કોલસા કૌભાંડનો પર્દાફાશ

Bhaskar News, Dantiwada

અંદાજે ૧૫૦ હેકટરમાંથી ૫૦૦૦ થી વધુ વૃક્ષો કપાયાં:એક મહિનાથી કોલસા પાડવાનું ચાલતું હતું: દાંતીવાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.એન.ગોસાઇ તથા રાઉન્ડ ફોરેસ્ટનો સ્ટાફ પણ શંકાના દાયરામાં



બનાસકાંઠા જિલ્લા વન વિભાગ દ્વારા વાવધરામાં આવેલા જંગલ વિસ્તારમાં અગાઉ મળેલી બાતમીના આધારે રેડ પાડતા ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપીને તેમાંથી કોલસા બનાવવાનું કૌભાંડ ઝડપાઇ ગયું હતું. આ અંગે સબ જિલ્લા ફોરેસ્ટ ઓફિસર સી.પી. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ‘દાંતીવાડા તાલુકાના વાવધરા અને ખારા ગામની આસપાસમાં આવેલા ૭૮૩ હેકટર જંગલ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી રાજસ્થાનથી આવેલા મજૂરો દ્વારા બાવળ અને અન્ય વૃક્ષોને કાપીને તેમાંથી કોલસા બનાવવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું.



જેની જાણ જિલ્લા વન વિભાગને થતાં જિલ્લા વન વિભાગના અધિકારીઓની એક ટીમ શુક્રવારે જંગલ વિસ્તારમાં ત્રાટકી હતી. જો કે આ ટીમના સભ્યો આરોપીઓને ઝડપે તે પહેલા તે નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. દરમિયાન જંગલના જુદા વિસ્તારમાં તપાસ કરતાં અંદાજે ૧૫૦ હેકટર જમીનમાંથી ૫ હજારથી વધુ વૃક્ષો કાપીને કોલસા બનાવ્યા હોવાનું બહાર આવવા પામ્યું છે તેમજ ૬૮ બોરી કોલસા, ૬૦ ભઠ્ઠી અને ૨૦૦૦ કવીન્ટલ લાકડું ઝડપાયું છે.



જે તપાસ હજુ પણ ચાલુ છે. આ કૌભાંડની શંકામાં દાંતીવાડા રેંજ ફોરેસ્ટ ઓફિસર એસ.એન.ગોસાઇ તથા રાઉન્ડ ફોરેસ્ટનો સમગ્ર સ્ટાફ હોવાથી તેમની પૂછતાછ કરાશે.’શુક્રવારની સાંજથી ચાલી રહેલા કૌભાંડની તપાસમાં જિલ્લા વન અધિકારી વાય.એલ.વર્મા, સબ જિલ્લા વન અધિકારી સી.પી.પ્રજાપતિ, સી.એમ.ચૌધરી, કે.એ.દેસાઇ તથા રેંજ ફોરેસ્ટ ઓફિસર આર.એચ.ગઢવી, કે. એન. પ્રજાપતિ, બી.કે.ગોળ તથા જિલ્લા જિલ્લા વન વિભાગનો સ્ટાફ જોડાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.



ઓફિસ સીલ કરાઇ



દાંતીવાડા ના વાવધરા જંગલ વિસ્તારમાંથી ઝડપાયેલા ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપીને કોલસા બનાવવાના કૌભાંડના પગલે દાંતીવાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસમાં રહેલા કોઇ રેકર્ડ સાથે ચેડા ન થાય તે માટે ઓફિસને સીલ મારવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું


કોલસા કૌભાંડમાં તપાસની માંગ

Bhaskar News, Dantivada

યોગ્ય તપાસ ન કરાય તો દાંતીવાડા તાલુકા કોંગ્રેસ દ્વારા ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી



દાંતીવાડા તાલુકામાં આવેલા વાવધરા જંગલ વિસ્તારમાંથી જિલ્લા વનવિભાગ દ્વારા ઝડપાયેલા કોલસા કૌભાંડમાં વનવિભાગના એસીએફ દ્વારા અત્યારે તપાસ થઇ રહી છે. ત્યારે દાંતીવાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા યોગ્ય તપાસની માંગણી કરવામાં આવી છે. જો યોગ્ય તપાસ નહીં થાય તો આંદોલન કરવામાં આવશે. તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.



વાવધરા જંગલમાં પથરાયેલા જંગલ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે વૃક્ષોનું કટિંગ કરી તેમાંથી કોલસા પાડવાનું કૌભાંડ બહાર આવતા આ કૌભાંડ સમગ્ર જિલ્લામાં ચકચારી બની ગયું છે. ત્યારે સમગ્ર કોલસા કૌભાંડમાં કેટલાક વનવિભાગના કર્મચારીઓની નિષ્કાળજી હોવાનું વનવિભાગના અધિકારીએ પણ સ્વીકાર્યા બાદ સંડોવણી પણ છે કે કેમ ? તેની તપાસ હાથ ધરવામાં આવી છે. તેમ વન વિભાગના સૂત્રોએ જણાવ્યું છે.

વાવધરાના જંગલમાંથી કોલસા પાડવાની ૪૫થી વધુ ભઠ્ઠીઓ જિલ્લાના વનવિભાગની ઓચિંતી તપાસ દરમિયાન મળી આવતા આ કૌભાંડમાં વનવિભાગના કર્મીઓની સંડોવણી હોવાની આશંકાઓ બળવત્તર બની રહી છે. ત્યારે સમગ્ર કૌભાંડની તપાસ ધીમીગતિએ તેમજ યોગ્ય રીતે ન થતા હોવાનો આક્ષેપ દાંતીવાડા કોંગ્રેસ સમિતિના તાલુકા પ્રમુખે કર્યો છે. તેઓએ કોલસા કૌભાંડમાં કેટલાક વનવિભાગના કર્મીઓ સંડોવાયા હોવાની આશંકા વ્યકત કરીને સમગ્ર બાબતની નિષ્પક્ષ તપાસ કરવી જોઇએ તેમ જણાવ્યું છે.



તો અમે આંદોલન કરીશું...
વાવધરાના જંગલમાંથી ઝડપાયેલું કોલસા પાડવાનું કૌભાંડ જિલ્લામાં સૌથી મોટુ છે. પરંતુ તેની તપાસ ગોકળગતિએ ચાલી રહી છે. ત્યારે સાચી દિશામાં તટસ્થ તપાસ કરીને તપાસ કરતાં અધિકારીના અહેવાલના આધારે તંત્રએ જવાબદારો સામે પગલાં લેવા જોઇએ. તેમ નહીં કરાય તો અમે ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલન કરીશું.
નવીનભાઇ ઠક્કર, (પ્રમુખ, તાલુકા કોંગ્રેસ સમિતિ, દાંતીવાડા)

Press matter in Divya bhaskar from Dantiwada

દાંતીવાડાના શિકરિયામાં હડકાયા કૂતરાએ ૧૨ને બચકાંભયાઁ

ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા

દાંતીવાડા તાલુકામાં આવેલા શીકરિયા ગામમાં ગુરુવારના રોજ એક રખડતું કુતરૂ હડકાયું થતાં ગામમાં લોકોને કરડવાનું શરૂ કર્યું હતું. જેમાં શનિવાર સુધીમાં આ કુતરાએ શીકરિયા, નાંદોત્રા ઠાકોરવાસ તેમજ આજુબાજુના ખેતર પરના સાકરબેન હરીભાઇ દલીત, હકાબેન રમેશભાઇ દલીત, રમેશભાઇ, કાંતીભાઇ સોમાજી માળી સહિત ૧૨ જેટલા લોકોને બચકાભયૉ હતા. જેના કારણે ગામમાં ભાગદોડ મચી જવા પામી હતી. જો કે શીકરિયા ગામના કેટલાક લોકોએ આ કુતરાને પકડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ, તે પકડાયું નથી. જેના કારણે હજુ પણ ગામના લોકોમાં ભય ફેલાયો છે. જે વ્યક્તિઓને હડકાયું કુતરૂ કરડયું હતું. તે પૈકી પાંચ વ્યક્તિએ જેગોલ પ્રા. આ. કેન્દ્રમાં સારવાર લીધી હતી.

ગૌ ગ્રામયાત્રાના સ્વાગતની તૈયારી


ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા

હરિયાણાના કુરૂક્ષેત્ર ખાતેથી પ્રારંભ થયેલી વશિ્ર્વમંગલ ગૌ ગ્રામ યાત્રા આગામી રર ડિસેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લામાં પ.પૂજય શંકરાચાર્ય શ્રી રાઘવેશ્ર્વર ભારતી સ્વામીજી મહારાજ સાથે પધારી રહી છે. જેને આવકારવા માટે સમગ્ર જિલ્લામાં તડામાર તૈયારીઓ શરૂ થઇ છે.

સમગ્ર દેશમાં સંતો મહંતોની આગેવાનીમાં ગઇ વજિયાદશમીના દિવસે કુરૂક્ષેત્ર ખાતેથી ગૌ ગ્રામ અને સજીવ ખેતીને લક્ષ્યમાં રાખીને તેમજ ગાયનેઁ રાિષ્ટ્રય પ્રાણી જાહેર કરવા માટે થઇને ૫૦ કરોડ હસ્તાક્ષર કરાવવાના સંકલ્પ સાથે શરૂ થયેલી વશિ્ર્વમંગલ ગૌ ગ્રામ યાત્રા છેલ્લા ૮૩ દિવસમાં ભારતના ૮૦ થી વધુ શહેરોમાં ભ્રમણ કરીને આગામી રર ડિસેમ્બરના રોજ પાટણથી ડીસા ખાતે પ્રવેશ કરશે. ત્યારબાદ આ યાત્રા ડીસાથી પાલનપુર, અમીરગઢ થઇને રાજસ્થાનમાં પ્રવેશ કરશે. આ યાત્રા દરમિયાન પ.પૂજય શંકરાચાર્ય શ્રી રાઘવેશ્ર્વર ભારતી સ્વામીજી મહારાજ અને અન્ય સંતો મહંતોની ઉપસ્થિતીમાં ડીસા અને પાલનપુર ખાતે વિરાટ જાહેર સભા યોજાનાર છે. આ મુખ્ય યાત્રા કુલ ૧૦૮ દિવસમાં ર૦ હજાર કી.મી. પરીભ્રમણ કરીને દેશના રપ૦ થી પણ વધુ શહેરોમાં વિરાટ જાહેર સભાઓ તેમજ સંપર્ક કરશે.



ગાયને માતાનો દરજો આપનાર દેશમાં શરમજનક હાલત

જેમાં ૩૩ કરોડ દેવતાનો વાસ છે એ ગાયને ભારતીય સંસ્કૃતિમાં માતાનો દરજજો આપવામાં આવ્યો છે. પરંતુ આ દેશમાં ‘માતા’ની સ્થિતી શરમજનક છે. ગાય અપમાનીત દશામાં જીવી રહી છે અને મરી રહી છે. જેના કેટલાક પુરાવા અહીં છે. જેમાં ભારતમાં ૪૦૦૦ ગૌ શાળાઓ, ૩૬૦૦૦ કતલખાના, આઝાદી બાદ ૮૦ ટકા ગૌ વંશ નષ્ટ થયો.,ભારત-બાંગ્લાદેશ સરહદ પર ૧૫૦ અબજ રૂપિયાના પશુધનની ચોરી થઇ રહી છે.,૮૦ ગૌ વંશની જાતી ધરાવતા દેશમાં આજે માત્ર ૩૩ જાતીઓજ બચી છે.,ગૌ વંશની ર૦ જાતીઓ નામશેષ થઇ.,ભારતમાં ગાયના ચામડાનો નિકાસ ૬.૫ હજાર કરોડ રૂપિયાનો વેપાર.૧૯૫૧માં એક હજાર માણસે ૮૦૦ પશુઓ હતા.જયારે આજે માત્ર ૪૦૦.

પાંથાવાડામાં લોકદરબારમાં દબાણનો મુદ્દો ચમકયો

ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા

તાલુકાના પાંથાવાડામાં સોમવારે સવારે જિલ્લા પોલીસવડા હરિકૃષ્ણ પટેલના અધ્યક્ષ સ્થાને લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લોકોએ પાંથાવાડા બસ સ્ટેન્ડ વિસ્તારમાં શૌચાલય બનાવવા, ગામમાં થયેલા બિનઅધિકૃત દબાણો દૂર કરવાની રજુઆત કરી હતી. આ અંગે જિલ્લા પોલીસ વડા હરિકૃષ્ણ પટેલે જણાવ્યું હતું કે, ‘બસ સ્ટેન્ડ વિસ્તારમાં શૌચાલય બનશે અને તેની સામે આવતા તમામ અવરોધો દૂર કરાશે. લોકદરબાર કાર્યક્રમમાં માજી સરપંચ રમેશભાઇ ઘાડીયા, ડેલીગેટ હંસાજી ગોવલાણી, ડેપ્યુટી સરપંચ નારણસિંહ દેવડા, હંજારીમલ મેવાડા, મણીલાલ ત્રિવેદી, ભરતભાઇ ત્રિવેદી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

દાંતીવાડા તાલુકાના ગોઢ ગામે પુરવઠા તંત્રના દરોડા

ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા

બનાસકાંઠા જિલ્લા પુરવઠા તંત્રની ટીમે સોમવારે મોડી સાંજે દાંતીવાડા તાલુકાના ગોઢ ગામે ઓચિંતો દરોડો પાડી લાખો રૂપિયાનો બિનઅધિકૃત રાયડાનો જથ્થો ઝડપી લેતાં ભારે અફડા-તફડી મચી ગઇ હતી. જેની મોડી રાત્રિ સુધી તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

બનાસકાંઠા જિલ્લા પુરવઠા તંત્ર ઇન્સ્પેકટર એન.એચ. પરમારે જણાવ્યું હતું કે, ‘દાંતીવાડા તાલુકાના ગોઢ ગામે એક શખ્સને ત્યાં બિનઅધિકૃત રાયડો હોવાની બાતમી મળતાં ઇન્સ્પેકટર એન.સી. રાજગોર અને એચ.એન. પરમાર સ્ટાફ સાથે ઓચિંતી તપાસ કરી હતી. જે દરમિયાન અંદાજે રૂ. ૧,૯૦,૦૦૦ ની કિંમતની ૪૦૦ થી પણ વધુ બોરી બિનહિસાબી રાયડાનો જથ્થો ઝડપાઇ જવા પામ્યો હતો. જેની તપાસ સોમવારે મોડી રાત્રી સુધી હાથ ધરવામાં આવી છે. જો કે આ અંગે ઇસમે જણાવ્યું હતું કે, ‘આ જથ્થો અમે છ ભાઇઓએ પોતાના ખેતરમાં ગયા વર્ષે વાવ્યો હતો. ગયા વર્ષે સારો ભાવ ન હોવાના કારણે અમે આ જથ્થો સંગ્રહી રાખ્યો હતો.’

બઢતી મુદ્દે કર્મીઓ ઉપવાસ પર

ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા

દાંતીવાડાની સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી ખાતે વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને યુનિ. ના સતાધીશો દ્વારા ખેતીવાડી અધિકારીમાંથી મદદનીશ પ્રાધ્યાપક સંવર્ગમાં બઢતી ન અપાતા સોમવારથી પ્રતીક ઉપવાસ યોજી આંદોલન શરૂ કર્યું છે. જેમાં સત્તાધીશો યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આમરણાંત ઉપવાસ ઉપર જવાની કર્મચારીઓ દ્વારા ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

દાંતીવાડાની સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી ખાતે ખેતીવાડી અધિકારી તરીકે છેલ્લા ૨૦ વર્ષથી ફરજ બજાવતા ૫૫ થી વધુ કર્મચારીઓને રાજય સરકારના નીતિ નિયમ મુજબ મદદનીશ પ્રાધ્યાપક તથા મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક તરીકે બઢતી ન અપાતા આ કર્મચારીઓ તા. ૧૦ થી ૧૩ ડિસેમ્બર સુધી કાળી પટ્ટી ધારણ કરી કામથી અળગા રહી આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. તેમ છતાં પણ યુનિ. તંત્ર દ્વારા કોઇ નિર્ણય ન લેવાતા સોમવારથી પ્રતીક ઉપવાસ શરૂ કયૉ હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્વારા ૪ યુનિ. અલગ કરવામાં આવી. ત્યારે આ કૃષિ યુનિ. માં ખેતીવાડી અધિકારી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને મદદનીશ પ્રાધ્યાપક સંવર્ગમાં બઢતી આપવા ઠરાવ કરવામાં આવ્યો હતો. જેનો અમલ કરીને જુનાગઢ, આણંદ અને નવસારી કૃષિ યુનિવર્સિટીના તમામ ખેતીવાડી અધિકારીઓમાંથી માત્ર ૧૫ અધિકારીઓને જ મદદનીશ પ્રાધ્યાપક તરીકે બઢતી આપવામાં આવી છે. જયારે બાકીના કર્મચારીઓને કોઇ કારણોસર આ લાભથી વંચિત રાખવામાં આવ્યા છે. જો કૃષિ યુનિ. દ્વારા આ કર્મચારીઓને પણ રાજય સરકારના ઠરાવનો લાભ આપીને બઢતી આપવામાં આવે, તો કર્મચારીઓનો ૨૦ વર્ષનો સંશોધન, શિક્ષણ તથા વિસ્તરણનો અનુભવ બાકીના કર્મચારીઓને પણ મળી રહેશે. આ ૫૫ કર્મચારીઓ હાલમાં વેતન તો મદદનીશ પ્રાધ્યાપક કક્ષાનું જ મેળવતા હોઇ રાજય સરકારની તજિોરી પર પણ વધુ કોઇ નાણાંકીય બોજો પડવાનો નથી માટે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સત્તાધશિોએ આ કર્મચારીઓને તેમના લાભ આપવા જોઇએ. આ અંગે ખેતીવાડી અધિકારી મંડળના કન્વીનર જશવંતભાઇ પટેલે જણાવ્યું હતું કે, જો કૃષિ યુનિવર્સિટીના સત્તાધશિો દ્વારા ૨૧ ડિસેમ્બર પહેલાં કોઇ યોગ્ય નિર્ણય નહીં આવે, તો અમે આમરણાંત ઉપવાસ પર જઇશું. તેમજ અમારા આ આંદોલનને કૃષિ યુનિવર્સિટીના તમામ મંડળોએ સમર્થન જાહેર કરેલ છે.

દાંતીવાડામાં સ્વાઇન ફ્લૂની એન્ટ્રીથી ફફડાટ


ભાસ્કર ન્યૂઝ .દાંતીવાડા

બનાસકાંઠા જિલ્લામાં સ્વાઇન ફ્લૂના પગલે બે વ્યક્તિઓના મોત નપિજયા છે. ત્યારે શિયાળાની ઋતુમાં સ્વાઇન ફ્લૂનો પ્રકોપ વધી રહ્યો છે. દાંતીવાડા તાલુકામાં આવેલી દાંતીવાડા કૃષિ યુનિ.માં અભ્યાસ કરતી એક યુવતીને શંકાસ્પદ સ્વાઇન ફ્લૂ થયો હોવાનું જાણવા મળ્યું છે. જો કે યુવતીને સમયસર સારવાર મળતાં તે ભયમુકત હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.દાંતીવાડા તાલુકામાં આવેલી દાંતીવાડા કૃષિ યુનિ. માં અભ્યાસ કરતી એક યુવતી છેલ્લા ઘણા સમયથી બીમાર રહેતા, તેનું મેડીકલ ચેક-અપ કરવામાં આવ્યું હતું. જેમાં તેને સ્વાઇન ફ્લૂ પોઝીટીવ આવતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે સમયસર સારવાર મળતાં યુવતીની તબિયતમાં સુધારો થયો હતો.

આ તેમ છતાં પણ તબીબો દ્વારા ભવિષ્યમાં ન થાય તે માટે જરૂરી સારવાર આપવામાં આવી હતી.

જો કે, સૂત્રોના જણાવ્યા મુજબ સ્વાઇન ફ્લૂ થયેલ યુવતીનું સ્વાસ્થ્ય સારૂ થઇ જતા તેને બુધવારના રોજ અમદાવાદ સિવિલમાંથી રજા આપવામાં આવી હતી. આ અંગે યુનિ. ના વિધ્યાર્થી હાદિgક વાઘેલાએ જણાવ્યું હતું કે, અત્યારે શરદી-ખાંસી થતી હોવાના કારણે સ્વાઇન ફ્લૂ હોવાની સતત િંચતા રહે છે.

જો તંત્ર દ્વારા આ અંગેની સાચી માહિતી આપવા માટે થઇને એક વિભાગ શરૂ કરાય તો સાચી બાબત ધ્યાનમાં આવે.



જોધપુરના સેમિનારમાં ચેપ લાગ્યો હોવાની સંભાવના

યુવતી તથા તેની સાથે અન્ય ત્રણ વિધ્યાર્થીઓ પણ જોધપુર મુકામે એક સેમીનારમાં ભાગ લેવા ગયા હતા. જેમાંથી પરત આવતા તે બીમાર પડી હતી. જો કે પાલનપુર સિવિલ દ્વારા અન્ય વિધ્યાર્થીઓની તબીબી તપાસ કરવામાં આવતા સ્વાઇન ફ્લૂ જણાયો ન હતો.



કોન્ફરન્સમાં જઇ આવતા કર્મીઓની તબીબી તપાસ જરૂરી

દાંતીવાડા કૃષિ યુનિ. ના ઘણા બધા ઓફિસરો, વૈજ્ઞાનિકો તેમજ વિધ્યાર્થીઓ અવાર-નવાર વિવિધ સેમીનાર અને કોન્ફરન્સમાં ભાગ લેવા માટે અન્ય રાજયોમાં જતા હોય છે. માટે સ્વાઇન ફ્લૂ થવાની ભીતિ વધુ રહે છે. જેથી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કૃષિ યુનિ. માં સ્વાઇન ફ્લૂ અંગેની માહિતી અને તબીબી તપાસ માટે થઇને અલાયદો વિભાગ શરૂ કરવાનું પણ લોકો જણાવી રહ્યા છે.

ગાયને બચાવવા દાંતીવાડામાં ‘મશિન એન્ટી પ્લાસ્ટીક’ શરૂ


ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા

દાંતીવાડા કોલોની અને આસપાસના વિસ્તારોમાં ફરતી ગાયોના પેટમાં ખુબ મોટા પ્રમાણમાં આ પ્રકારના પ્લાસ્ટીક જવાના કારણે કેટલીક ગાયોના મોત પણ નપિજયા છે. જેથી એનીમલ વેલ્ફેર ફાઉન્ડેશન, બનાસકાંઠા અને ભાઇ-ભાઇ ગ્રુપના સંયુકત ઉપક્રમે જીવદયા પ્રેમીઓ દ્વારા આવી રખડતી ગાયોને બચાવવા માટે થઇને ‘મીશન એન્ટી પ્લાસ્ટીક’ શરૂ કરાયું છે. જેમાં આવી ગાયોના ઓપરેશન કરીને તેના પેટમાંથી પ્લાસ્ટીક બહાર કાઢવામાં આવે છે.

Wednesday, July 8, 2009

કૃષિ યુનિ. માં ગુજરાત સ્થાપના દિન ઉજવાયો


દાંતીવાડા : ૧ મે ના રોજ સમગ્ર ગુજરાતમાં ગુજરાત રાજયનાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં શુક્રવારના રોજ કૃષિ યુનિ. દ્વારા સરદાર સ્મૃતિ કેન્દ્ર ખાતે આઇ.આઇ.એમ. ના પ્રાઘ્યાપક પદ્મશ્રી પ્રો. અનીલ ગુપ્તાનું ‘ગુજરાતમાં કષિ વિકાસ’ વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું. જેમાં યુનિ. ના કુલપતી ડૉ. આર.સી. મહેશ્વરી, રજીસ્ટ્રાર ડૉ. એચ.એન. ખેર, વિવિધ કોલેજના આચાર્ય, પ્રોફેસરો તથા વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શુક્રવારના રોજ ભાઇ-ભાઇ ગ્રુપ દ્વારા પણ યુનિ. માં ગુજરાત સ્થાપના દિનની ઉજવણી કરાઈ હતી.

ગુંદરી હાઈવે રકતરંજિત બન્યો : છનાં મોત

ગુંદરી હાઈવે રકતરંજિત બન્યો : છનાં મોત

દાંતીવાડા તાલુકાના ગુંદરી ચેકપોસ્ટ નજીક હાઇવે પર ગુરુવારે સવારે જીપ અને ટ્રક વરચે સજાર્યલા ગમખ્વાર અકસ્માતમાં છ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નીપજયા હતા. જયારે એકને ઇજા થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વાહનોને છૂટા પાડવા જે.સી.બી. મશીનોની મદદ લેવી પડી હતી.

આ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ફરાર થઇ ગયેલા ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાંથાવાડા પોલીસ મથકના પી.એસ.ઓ. બાબુલાલે જણાવ્યું હતું કે ‘દાંતીવાડા તાલુકાના ગુંદરી ચેકપોસ્ટ નજીક રાજસ્થાન જતાં હાઇવે પર ગુરુવારે સવારના સુમારે પાંથાવાડાથી મુસાફરો ભરી જીપ નં. આરજે-૨૪-ટી-૧૧૯૬ રાજસ્થાન તરફ જઇ રહી હતી.

ત્યારે સામેથી પૂરઝડપે આવી રહેલી ટ્રક નં. એચઆર-૫૫-૨૪૨૪ ધડાકાભેર જીપ સાથે અથડાતાં ગુંદરી હાઇવે રકતરંજિત બની ગયો હતો અને જીપમાં બેઠેલા છ મુસાફરોની મરણચીસોથી વાતાવરણમાં કરુુણતા છવાઇ ગઇ હતી. દુઘટર્નાને પગલે આજુબાજુમાંથી દોડી આવેલા લોકો તેમજ આરટીઓ ચેકપોસ્ટના કર્મીઓએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી.

જૉ કે, ફૂરચા ઉડી ગયેલી જીપ અને ટ્રક સામસામે ભીડાઇ ગયા હોવાથી બે જે.સી.બી. મશીનો દ્વારા અકસ્માતગ્રસ્ત વાહનો છૂટા કરાયા હતા અને વાહનોમાં ફસાયેલા કમનશીબ મૃતકોના એક પછી એક મૃતદેહોને બહાર નીકાળવામાં આવ્યા ત્યારે વાતાવરણ ભારેખમ બની ગયું હતું. જયારે એક ઇજાગ્રસ્ત મુસાફરને ૧૦૮ મોબાઇલવાન દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.

અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતને પગલે જિલ્લા પોલીસવડા ડી.એન. પટેલ, પી.એસ.આઇ. ડી.એમ. ચૌહાણ, જયારે ડી.વાય.એસ.પી. બી.બી. પટેલ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મૃતકોના સ્વજનોને સાંત્વના આપી હતી. જયારે છ મૃતકોની લાશનું પાંથાવાડા પી.એચ.સી. ના ડૉ. એસ.આર. યાદવે પોસ્ટમોર્ટમ કરીને વાલી વારસોને લાશ સોંપી હતી.

આ અંગે મૃતકોના વાલીવારસોએ જણાવ્યું હતું કે ‘આ ઘટનામાં મોતને ભેટેલા તમામ મૃતકો સામાન્ય સ્થિતિના હોવાથી સરકારી સહાય મળવી જૉઇએ.’ આ અંગે સમશેરખાન હાજીનુરમહંમદ મુસલમાન (રહે. મન્ડાર, રાજસ્થાન)એ પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે નાસી છૂટેલા ટ્રક ચાલક સામે ગુનો નોંધી પી.એસ.આઇ. ડી.એન. ચૌધરી વધુ તપાસ ચલાવી રહ્યા છે.

પિયરમાં ન જવા દેતાં પરિણીતાએ ડેમમાં મોતની છલાંગ લગાવી

પિયરમાં ન જવા દેતાં પરિણીતાએ ડેમમાં મોતની છલાંગ લગાવી

દાંતીવાડાની પરિણીતાને તેના સાસરીયાઓ દ્વારા પિયર જવા દેવામાં ન આવતાં પરિણીતાએ રવિવારે સવારે દાંતીવાડા ડેમમાં કુદી પડી મોતને વ્હાલું કરતાં ચકચાર મચી જવા પામી હતી.

સદ્ધિપુર ગામની આરતીબેન કુવાચીના લગ્ન આજથી ૭ માસ અગાઉ દાંતીવાડાના વિક્રમ સાથે થયા હતા. લગ્ન બાદ આરતીએ પિયર જવા માટે અનેકવાર તેના સાસરીયાઓએ કહેવા છતાં તેને પિયરમાં જવા ન દેતાં આરતીબેન (ઉ.વ.૧૯)એ રવિવારે વહેલી સવારે દાંતીવાડા ડેમના ગેટ નં.૧૦ ઉપરથી મોતની છલાંગ મારી જીવન ટુંકાવી દીધુ હતું. આ અંગે ડેમ સાઇડના ફરજ પરના ચોકીદાર એન.જે.પરમારે જણાવ્યું હતં કે ‘આજે સવારે ૮.૦૦ વાગ્યાની આસપાસ આ મૃતક બહેન ડેમ પર અવ્યા હતા.

જેમની વર્તણુકમાં અજુગતું લાગતું હતું અને જોતજોતામાં તેઓએ ગેટ નં.૧૦ નજીક ડેમના પાળા પરથી છલાંગ લગાવી હતી. આ ઘટનાની જાણ થતાં રામનગરના તરવૈયા ભવરસીંગ વાધેલા, અભેસીંગ વાધેલા, પ્રવીણસીંગ વાધેલા, ચુનીલાલ શંકરસીંગ વાધેલા તાબડતોડ ડેમ પર પહોંચી ગયા હતા અને ડેમમાં આરતીબેનની શોધખોળ શરૂ કરી હતી.

જે દરમિયાન ડેમમાંથી આરતીબેન મૃત હાલતમાં મળી આવતાં તેમની લાશને ડેમમાંથી ૯.૩૦ કલાકે બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ મતક મહિલાની લાશનું જેગોલ પી.એચ.સી. ખાતે પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. આ અંગેની ફરીયાદ પાંથાવાડા પોલીસ સ્ટેશને નોંધાતા પી.એસ.આઇ. એન.ડી.ચૌધરી આગળની તપાસ ચલાવી રહ્યા છે.

દાંતીવાડા વેટરનરી કોલેજના વિધાર્થીઓ આંદોલનના માર્ગે

દાંતીવાડા વેટરનરી કોલેજના વિધાર્થીઓ આંદોલનના માર્ગે

સરદાર કષિનગર દાંતીવાડા કૃષિ યુનિ.ની વેટરનરી કોલેજના છાત્રોએ વેટરનરી સંશોધન સંસ્થાની માગણીને ચાલુ રાખી આજે શૈક્ષણિક કાર્ય બંધ કરી રેલી યોજી અને આવેદનપત્ર આપ્યું હતું.

છેલ્લા કેટલાય સમયથી ભારતની તમામ વેટરનરી કોલેજના વિધાર્થીઓ વેટરનરી સંશોધન સંસ્થા સ્થાપવા માટે જુદાજુદા પ્રકારે આંદોલન ચલાવી રહ્યા છે. જેમાં આજરોજ ઓલ ઇન્ડિયા વેટરનરી સ્ટુડન્ટ એસોસિયેશનના નેજાહેઠળ ગુજરાતની આણંદ અને દાંતીવાડા વેટરનરી કોલેજના વિધાર્થીઓએ આઇ.સી.વી.આર. સ્થાપવાની માગ સાથે આજે એક દિવસ માટે કોલેજનું શૈક્ષણિક કાર્ય બંધ કર્યું હતું.

દાંતીવાડા વેટરનરી કોલેજના વિધાર્થીઓએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી યુનિ. ના વિધાર્થી કલ્યાણ પ્રવતીના નિયામક ડૉ. વીરસિંગને આવેદનપત્ર આપ્યું હતું. આ અંગે દાંતીવાડા વેટરનરી કોલેજના જનરલ સેક્રેટરી નિખિલ પટેલે જણાવ્યું હતું કે, આ આંદોલન ઇઝ્ઝતનગર વેટરનરી કોલેજથી શરૂ થયું છે.

જે પાંચ દિવસથી ઉપવાસ પર બેઠેલા બે વિધાર્થીઓની તબિયત ગઇકાલે લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા તે છતાં પણ કેન્દ્ર સરકાર આ બાબતે કોઇ જ નિર્ણય લેતી નથી.

માટે આજે ઓલ ઇન્ડિયા વેટરનરી સ્ટુડન્ટ એસોસિયેશનના આદેશથી અમે આજે હડતાલ પાડી છે. અને જો આગામી સમય સુધી કેન્દ્ર સરકાર આ અંગે કંઇ જ નિર્ણય નહીં લે તો ભારતની બધી જ વેટરનરી કોલેજના વિધાર્થીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જવાના છે.

દાંતીવાડા જળાશયમાં પાણી સંગ્રહ શકિતમાં ભારે ઘટાડો

દાંતીવાડા જળાશયમાં પાણી સંગ્રહ શકિતમાં ભારે ઘટાડો

બનાસકાંઠા- પાટણ જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા જળાશય યોજનામાં ચોમાસાના પાણી સાથે ઘસડાઇને આવતી માટી-કાંપના કારણે બંધની સ્ટોરેજ કેપેસીટીમાં ધટાડો થયો છે. બનાસકાંઠામાં પસાર થતી બનાસનદી ઉપર દાંતીવાડા જળાશય યોજના ૧૯૬૫-૬૬માં કાર્યરત થઇ હતી.

જેનાથી દાંતીવાડા તાલુકાના ૩ ગામોમાં ૯૩૬ હેકટર, પાલનપુર તાલુકાના ૧૯ ગામોમાં ૬૩૨૪ હેકટર, ડીસા તાલુકાના ૩૧ ગામોમાં ૧૫૨૯૧ હેકટર, કાંકરેજ તાલુકાના ૮ ગામોમાં રપ૮૩ હેકટર, પાટણ તાલુકાના ૪૬ ગામોમાં ૧૯૦૪૦ હેકટર અને સિઘ્ધપુર તાલુકાના ૩ ગામોમાં ૬૪૯ હેકટર જમીનમાં સિંચાઇનો લાભ મળે છે. દાંતીવાડા જળાશયની જળસંગ્રહ શકિત કુલ ૪૬૪.૭૧ મીટર છે.

જીવંત સંગ્રહ શકિત ૪૪૪.૭૧ મીટર, મૃત સંગ્રહ શકિત ૧૯.૬૮ મીટર જયારે પૂર્ણ ભરાયેલા જળાશયોનો ધેરાવો ૪૬.૭૪ ચો.મીટર છે. જૉકે, જળાશય કાર્યરત થયું ત્યારથી તેમાં નદીના પાણી સાથે ઘસડાઇને આવતી માટી અને કાંપના કારણે બંધની પાણી સંગ્રહ શકિતમાં ઘટાડો થયો છે.

આ અંગે નાયબ કાર્યપાલક ઇજનેર જી.એચ.પટેલે જણાવ્યું હતું કે, ‘દર ચોમાસે વરસાદી પાણી સાથે ઘસડાઇને આવતી માટી અને કાંપને બહાર કાઢવા માટે કોઇ પ્રયાસ હાથ ન ધરાયો હોવાથી સ્ટોરેજ કેપેસીટી ૧૫થી ૨૦ ટકા ઘટી ગઇ છે’. આ અંગે વર્ક આસિ. હિતેન્દ્ર એન. ઠાકરે જણાવ્યું હતું કે ‘રાજય સરકાર ચેકડેમો, તળાવો બનાવવાની યોજના સાથે જળાશયોમાંથી કાંપ-માટી બહાર કાઢવાની યોજના અમલી બનાવે તો તેમાં પાણીનો સંગ્રહ વધારીને વધુ વિસ્તારને પિયતનો લાભ આપી શકાય તેમ છે.’

જળાશયના બાંધકામમાં ૧૬ ગામોની જમીન ડૂબમાં ગઇ હતી

દાંતીવાડા જળાશય બાંધકામ માટે રાવળાવાસ, માળીવાસ, રામસીડા(છાપરા), વડવસ, નાની ભટામલ, જૂઓળ, રાણાવાસ, ચેખલા, રામપુરા, અરણીવાડા, કરઝાને પુન: વસવાટ કરાવવામાં આવ્યો છે. જયારે જૉરાપુરા,ડેરી, બાટાવાડા, આવલ,રાજપૂરીયા ગામોની જમીન ડૂબમાં ગયેલી હતી. જેમાં ખેડાણ લાયક ૨૧૪૧.૪૬ હેકટર, નદીના તળિયાની ૯૪૯ હેકટર અને સરકારી, પડતર, ખરાબાની ૧૦૬૧.૩૪ હેકટર જમીનનો સમવેશ થાય છે.

આ વિસ્તારના ખેડૂતો જળાશયમાં ભરાયેલા માટી-કાંપને પોતાના ખર્ચે ખેતરોમાં લઇ જવા તૈયાર છે. જૉ સરકાર આ માટે મામુલી રોયલ્ટી ભરવાનું રાખે તો સરકારને આવક થાય અને જળાશયની સ્ટોરેજ કેપેસીટી વધારી શકાય.’ -હાથીભાઈ ચૌધરી, ખેડૂત, નીલપુર

દાંતીવાડા જળાશયમાં ભરાયેલી માટી-કાંપ જો ખેડૂત પોતાના ખેતરમાં પાથરે તો આ કાંપના કારણે ખેડૂતની જમીન આપોઆપ ફળદ્રુપ થઇ શકે છે અને ખેડૂતે મોંઘા ભાવના સેન્દ્રીય ખાતર વાપરવાની કોઇ જરૂરિયાત રહેતી નથી. આ કાંપમાં ભરપૂર પ્રમાણમાં પોષકતત્વો હોવાથી એકવાર ખેતરમાં નાંખવાથી લાંબા સમય સુધી સેન્દ્રીય ખાતરની જરૂરિયાત રહેતી નથી.’ -ડૉ.આર.એલ.પટેલ, પ્રો.કૃષ યુનિ.દાંતીવાડા

મડાણાનો શિવો અને મંગુ : એક દૂજે કે લિયે

મડાણાનો શિવો અને મંગુ : એક દૂજે કે લિયે

પુત્રના વિયોગમાં પત્નીએ માનસિક સંતુલન ગુમાવ્યું અને પોતાનું ઘરબાર છોડી હાઇ-વે પર છેલ્લા દશ વર્ષથી ચાલતી પત્નીની પાછળ તેના પડછાયાની જેમ તેની પાછળ તેનો પતિ પણ સતત ચાલ્યા જ કરે છે. આમ, પતિની પત્ની ભકિત જોઇ સૌ કોઇ આ બન્નેની જોડીને એક દૂજે કે લિયે સર્જાયા હોય તેમ માની રહ્યા છે.

મૂળ મડાણા ગામનું આ રાવળ દંપતી છેલ્લા દસ વર્ષથી આ માર્ગ ઉપર સતત આંટા-ફેરા લગાવતું રહે છે. મગજથી અસ્થિર જણાતા મંગુબહેન રાવળની પાછળ-પાછળ તેમના પતિ શિવાભાઇને પણ રઝળપાટ કરવો પડે છે. આ મહિલાની ચિથરેહાલ સ્થિતિમાંની કહાની કાંઇક આવી છે. મડાણા ગામમાં પતિ-પત્ની બન્નેે પોતાના મકાનમાં રહેતા હતા. દામ્પત્ય જીવન દરમિયાન મંગુબહેનને એક પુત્ર અવતર્યોહતો. પરંતુ તેનું થોડા સમયમાં જ મૃત્યુ થયું હતું. ત્યારે પુત્રનો વિયોગ માતાના કાળજાને ભારે આઘાત આપી ગયો હતો અને મંગુબહેન સુનમુન રહેતા છેવટે તેની અસર મગજ ઉપર થઇ અને બસ ઘર છોડી દીધું.

મંગુબહેનના પગલે શિવાભાઇ પણ મંગુબહેન જયાં-જયાં જાય ત્યાં શિવાભાઇ પડછાયો બની પાછળ ફરતા હતા. બીજી તરફ ઘરની દુર્દશા થઇ ગઇ અને મંગુબહેને ચંડીસરથી દાંતીવાડાનો હાઇ-વે ખૂંદવો શરૂ કર્યો. આજકાલ કરતાં છેલ્લા દસ વર્ષથી મંગુ આગળ અને તેની ચિંતા કરતો શિવો પાછળ-પાછળ ફરી રહ્યો છે. હવે શિવાના તો પગ પણ કામ કરતા નથી સતત ચાલવાથી પગ પણ કયાંક કયાંક પાકી ગયા છે.

પાટાપિંડી કરીને પણ મંગુબહેનની ખબર રાખતા શિવાભાઇ સવારથી સાંજ સુધી પત્નીના પગલે ચાલી રહ્યા છે. મડાણાના પીકઅપ સ્ટેન્ડમાં ઘરની તમામ ઘરવખરીના પોટકાં બાંધેલા છે. શિવાભાઇ કહે છે શ્નશ્નમંગુનું મારા સિવાય છે પણ કોણ ? કયારેક મંગુ રિસાઇ જતી રહે છે ત્યારે તેને શોધવા પણ ભાગવું પડે છે’’ મડાણાના બસ સ્ટેન્ડનું પીક અપ સ્ટેન્ડ રાવળ દંપતીનો મુકામ બન્યું છે. કૃષિ યુનિવર્સિટીની બસમાં અપડાઉન કરતાં કેટલાક નોકરિયાત આ દંપતીને તેમના ટિફિનમાંથી જમવાનું આપતા હોય છે.

પાંથાવાડા શાળાના આચાર્ય જે.એ. ભટ્ટ કહે છે શ્નશ્નછેલ્લા સાત વર્ષથી આ દંપતીને હું રોજ જૉઉં છું, હાઇ-વે ઉપરની આ શ્નજીવતી વાર્તા’ છે.’ પત્નીને સાચવવામાં વર્ષોથી હાઇ-વે ઉપર રઝળપાટ કરી દિવસો વીતાવતા અને શ્નએક દૂઝે કે લિયે’ બનેલા શિવો અને મંગુ આજે પણ તમને આ માર્ગે નીકળો તો જૉવા મળે છે.

પિયરમાં ન જવા દેતાં પરિણીતાએ ડેમમાં મોતની છલાંગ લગાવી


દાંતીવાડાની પરિણીતાને તેના સાસરીયાઓ દ્વારા પિયર જવા દેવામાં ન આવતાં પરિણીતાએ રવિવારે સવારે દાંતીવાડા ડેમમાં કુદી પડી મોતને વ્હાલું કરતાં ચકચાર મચી જવા પામી હતી.

સદ્ધિપુર ગામની આરતીબેન કુવાચીના લગ્ન આજથી ૭ માસ અગાઉ દાંતીવાડાના વિક્રમ સાથે થયા હતા. લગ્ન બાદ આરતીએ પિયર જવા માટે અનેકવાર તેના સાસરીયાઓએ કહેવા છતાં તેને પિયરમાં જવા ન દેતાં આરતીબેન (ઉ.વ.૧૯)એ રવિવારે વહેલી સવારે દાંતીવાડા ડેમના ગેટ નં.૧૦ ઉપરથી મોતની છલાંગ મારી જીવન ટુંકાવી દીધુ હતું. આ અંગે ડેમ સાઇડના ફરજ પરના ચોકીદાર એન.જે.પરમારે જણાવ્યું હતં કે ‘આજે સવારે ૮.૦૦ વાગ્યાની આસપાસ આ મૃતક બહેન ડેમ પર અવ્યા હતા.

જેમની વર્તણુકમાં અજુગતું લાગતું હતું અને જોતજોતામાં તેઓએ ગેટ નં.૧૦ નજીક ડેમના પાળા પરથી છલાંગ લગાવી હતી. આ ઘટનાની જાણ થતાં રામનગરના તરવૈયા ભવરસીંગ વાધેલા, અભેસીંગ વાધેલા, પ્રવીણસીંગ વાધેલા, ચુનીલાલ શંકરસીંગ વાધેલા તાબડતોડ ડેમ પર પહોંચી ગયા હતા અને ડેમમાં આરતીબેનની શોધખોળ શરૂ કરી હતી.

જે દરમિયાન ડેમમાંથી આરતીબેન મૃત હાલતમાં મળી આવતાં તેમની લાશને ડેમમાંથી ૯.૩૦ કલાકે બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ મતક મહિલાની લાશનું જેગોલ પી.એચ.સી. ખાતે પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. આ અંગેની ફરીયાદ પાંથાવાડા પોલીસ સ્ટેશને નોંધાતા પી.એસ.આઇ. એન.ડી.ચૌધરી આગળની તપાસ ચલાવી રહ્યા છે.

દાંતીવાડાની ગ્રામપંચાયતોમાં ચુંટણી જંગ ખેલાશે


દાંતીવાડા તાલુકાના ખાલી પડેલ ગ્રામ પંચાયતોની સરપંચ અને સભ્યોની ચુંટણી આગામી તા.૧૯-૧૦-૦૮ના રોજ યોજાનાર છે. ચુંટણી ઇરછુક ઉમેદવારોના ફોર્મ ચકાસણી અને પાછા ખેંચવાની મુદત વિત્યા બાદ ચુંટણીના લાડુ ખાનારાઓની લાંબી લાઇન લાગી છે.

પાંચ ગામોની ચુંટણી અંગેની વિગતો આપતાં નાયબ મામલતદાર અમૃતભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ‘કુરીયાવાડા ગ્રામ પંચાયત સમરસ બની છે. સમરસ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે મીયાણી અણદાભાઇ નગાભાઇ અને સાત સભ્યોમાં ચૌહાણ દવાભાઇ ચતુરભાઇ, ઢગોલ ગણેશભાઇ પ્રભુભાઇ, ચુનીબેન અમરાભાઇ પ્રજાપતિ, લુણવાતર લખમીબેન હેમાભાઇ, બોડાણા નરસાભાઇ આશાભાઇ, મીયાંણી મોહનભાઇ ધુડાભાઇ અનેે ઉગમાતર પોપટભાઇ વાલાભાઇ ના સમાવેશ થાય છે. જયારે અન્ય ચાર ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યો ચુંટણી મેદાનમાં છે.

વેળાવાસ ગામની એક વોર્ડની સભ્યોની ચુંટણીમાં ઇશ્વરજી કાળુજી મારવાડીયા અને નારણભાઇ કરશનભાઇ રબારી આમને સામને છે. જયારે શેરગઢ ગ્રામ પંચાયતના સરપંચની ચુંટણીમાં ત્રિપાખીયો જંગ ખેલાશે જેમાં નટવરભાઇ નાનજીભાઇ ડાયાણી, પરથીભાઇ રાજાભાઇ પાંત્રોડ અને હરીભાઇ રૂડાભાઇ પટેલે ઉમેદવારી નોંધાવેલ છે. જયારે ચાર વોર્ડની પણ ચુંટણી યોજાશે.

ઓઢવા ગામની સરપંચની ચુંટણીમાં પણ ત્રિપાખીયો જંગ છેડાયો છે જેમાં રૂપસિંહ હકજી સોલંકી, વજાજી વાઘાજી માળી, વિરજીભાઇ પ્રેમજીભાઇ ભૂતડીયાનો સમાવેશ થાય છે. આ સિવાય ત્રણ વોર્ડની ચૂંટણી યોજાશે.

ભીલાયલ ગામની સરપંચની ચુંટણીમાં ચાર પાંખીયો જંગ ખેલવા માટે અસતાબેન વિરસંગદીપા, બસુબા હરીસીગ વાધેલા, શણગારબા ભમરસિંહ દેવલ, સીતાબેન સુજાભાઇ મકવાણા મેદાનમાં ઉતર્યા છે. જયારે અહીં એક વોર્ડની સભ્યની ચુંટણી યોજાશે.

કોટડામાં યુવતી પર બળાત્કાર ગુજાનારો આરોપી ઝડપાયો


policeચાર માસ અગાઉ ગામની જ ૧૬ વર્ષિય કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો

દાંતીવાડા તાલુકાના કોટડા (જેગોલ) ગામમાં આજથી ચાર માસ અગાઉ એક ૧૬ વર્ષિય કિશોરી પર ગામના જ શખ્સે બળાત્કાર કર્યોહતો. જેને પોલીસે રવિવારે કોટડામાંથી ઝડપી લીધો હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આજથી ચાર માસ અગાઉ કોટડા ગામનો પોપટજી લક્ષ્મણજી કોળી (ઉ.વ.૩૦)એ ગામની જ ૧૬ વર્ષની કિશોરીને લલચાવી-ફોસલાવીને રાયડાના ખેતરમાં લઇ જઇને તેની પર બળજબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો.

આ અંગે ભોગ બનેલી યુવતીએ નોંધાવેલી ફરીયાદના આધારે પી.એસ.આઇ. એન.ડી. ચૌધરી એ તપાસ હાથ ધરી હતી. દરમિયાન રવિવારના રોજ પોલીસને મળેલી બાતમીના આધારે પોપટજીના ઘરે તપાસ કરતાં તે ઘરમાંથી ઝડપાઇ ગયો હતો અને જેલના સળીયા પાછળ ધકેલી દેવાયો હતો.

કૃષિ યુનિ.માં કોર્ષ મુદ્દે વિધાર્થીઓનો હંગામો

કૃષિ યુનિ.માં કોર્ષ મુદ્દે વિધાર્થીઓનો હંગામો

દોઢ કલાક સુધી કૃષિ યુનિ.ના દૂધનું ટ્રેકટર રોકી રાખતાં અફડા-તફડી મચી: વિધાર્થીઓએ ટૂંકાગાળાના કોર્ષ બંધ કરવાના મામલે હડતાળ પાડી :માંગણી નહીં સંતોષેતો વધુ જલદ આંદોલન કરીશું:કોલેજ ઇન્ચાર્જ જનરલ સેક્રેટરી

university.jpgદાંતીવાડા કૃષિ યુનિ. માં આવેલી વેટરનરી કોલેજના વિધાર્થીઓએ ટૂંકાગાળાના કોર્ષ બંધ કરવાના મુદ્દે પોતાની માંગણી ન સંતોષાતા વિધાર્થીઓ સોમવારની સાંજથી હડતાલ પર ઉતરી જઇ દૂધ લઇ જતાં ટ્રેકટરને રોકતાં ભારે અફડા-તફડી મચી ગઇ હતી. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે વેટરનરી કોલેજમાં ગયા વર્ષથી કત્રિમ બીજદાન પદ્ધતિ જેવા ટૂંકાગાળાના કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે.

આ પ્રકારના અન્ય વિષયના ટૂંકાગાળાના કોર્ષ બંધ કરાવવા માટે વિધાર્થી છેલ્લા ઘણા સમયથી પ્રયત્ન કરી રહ્યા હતા. પરંતુ યુનિ. દ્વારા વિધાર્થીઓની માંગણી ન સંતોષાતા સોમવારની સાંજથી હડતાલ પર ઉતરી ગયા હતા. જેમાં વેટરનરી કોલેજના વિધાર્થીઓએ કૃષિ યુનિ. ના વસાહતમાં રહેતા કર્મચારીઓને દૂધ પુરૂ પાડતાં ટેન્કરને વેટરનરી હોસ્ટેલ પાસેના રસ્તા વચ્ચે રોકી દેવામાં આવ્યું હતું.

જેનાથી દૂધ ખૂબ સમય રાહ જોવા છતાં પણ ન આવતા અને હડતાલની ખબર પડતા લોકોના અને તેમાં ખાસ કરીને ગૃહિણીઓના ટોળાં વેટરનરી હોસ્ટેલ તરફ આવ્યા લાગ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ વેટરનરી કોલેજના આચાર્ય ડો. વી.પી. વડોદરીયાને થતાં તેઓ અને પ્રોફેસર ડો. એમ.સી. દેસાઇ તાબડતોબ વેટરનરી હોસ્ટેલ પહોંરયા હતા અને વિધાર્થીઓને સમજાવતા આખરે દોઢ કલાક બાદ દૂધનું ટેન્કર ત્યાંથી રવાના થયું હતું. આ સમગ્ર ઘટનાને લઇને કેમ્પસમાં અફડા-તફડી મચી જવા પામી હતી.

આ અંગે વેટરનરી કોલેજના ઇન્ચાર્જ જનરલ સેક્રેટરી વૈભવસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, ‘યુનિ. ના સત્તાધીશો અમારી માંગણી નહીં સંતોષેતો અમો આનાથી પણ વધુ જલદ આંદોલન કરીશું.’

લાડુ તો ઘણા ખાધા..પણ આયુર્વેદિક આમળાનાં લાડુ જેવા કોઇ નહીં


શિયાળામાં શકિતવર્ધક વસાણાની ભારે માંગ રહે છે ત્યારે દાંતીવાડા કષિ યુનિ. દ્વારા આમળાના લાડુ બનાવી તંદુરસ્તીની સાથે સાથે આમળાના ખેડૂતો માટે નવા પ્રકારના ગૃહઉધોગનો માર્ગ સૂચવી ખેડૂતોને કમાણી કરવાની દિશા બતાવી છે.

ગુજરાતનો સમજુ ખેડૂત વર્ગ ચીલા ચાલુ ખેતી છોડીને અવનવી ખેતી કરવા આકર્ષાયો છે અને નવીન ખેતીના કારણે ખેડૂત વર્ગ આર્થિક રીતે દિવસે-દિવસે સદ્ધર થઇ રહ્યો છે. આજ રીતે ગુજરાતના ખેડૂતો આમળાની ખેતી તરફ આકર્ષાયા બાદ આમળાના ઉત્પાદનનો યોગ્ય ભાવ ન મળવાથી ચિંતામાં પડી ગયા હતા.

પરંતુ આવા ખેડૂતો માટે આનંદના સમાચાર છે કે દાંતીવાડા કષિ યુનિવર્સિટીના કષિ મહાવિધાલયના હોર્ટીકલ્ચર વિભાગના પ્રાઘ્યાપક ડૉ. એલ.આર. વર્માએ આ બાબતે ચિંતન કરીને આમળાના આયુર્વેદિક લાડુ ગુજરાતને ભેટ આપવાની ઇરછા શકિત દર્શાવી હતી. આ કામમાં આજ વિભાગના ખેતીવાડી મદદનીશ ડાહ્યાભાઇ એમ.પટેલ અને અન્ય સ્ટાફના સહયોગથી આ કાર્યને પાર ઉતારી હાલમાં આ વિભાગમાં આમળાના લાડુ ૮૦ રૂપિયે કીલોના ભાવે વેચાણમાં મુકેલ છે.

વિભાગ દ્વારા ઉત્પાદીત લાડુ ખરીદવા માટે લાઇનો લાગે છે પરંતુ સ્ટાફના અભાવે ઓર્ડરને પહોંચી વળવું શકય ન હોવાનું વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. આ લાડુ હજુ પ્રચલીત નથી પરંતુ એકવાર આ લાડુનો ટેસ્ટ કર્યા પછી ગ્રાહકોની માંગ વધુ પ્રમાણમાં આવે છે. આ સંજોગોમાં ગૃહ ઉધોગ માટે પણ આ ઉત્તમ માર્ગ છે અને આમળાની ખેતી કરતાં ખેડૂતો પણ જો પોતાને ત્યાં આ લાડુ બનાવી બજારમાં પહોંચાડે તો ખેડૂતને સારી કમાણી કરી આપતો આ માર્ગ ખેડૂતોએ અપનાવવાની સલાહ કષિ યુનિ. દ્વારા અપાઇ છે.

આમળાના લાડુ આરોગવાથી થતાં ફાયદા

કષિ યુનિ. ના પ્રાઘ્યાપક ડૉ. એલ.આર. વર્માએ જણાવ્યું હતું કે, ‘આ લાડુ સંપૂર્ણ આયુર્વેદિક છે અને આ લાડુમાં આર્યન, ફોસ્ફરસ વધુ મળવાથી આરોગ્ય માટે ઉત્તમ છે. જયારે લોહ તત્વની ઉણપ હોય તેવાઓ માટે તો આ લાડુ અક્ષીર છે.

સૈન્યમાં પ્રથમવાર વેટરનરી તબીબ ગુજરાતી: દેશમાં પ્રથમ


દાંતીવાડા કૃષિ યુનિ. નો એક યુવાન તાજેતરમાં બોર્ડર સિકયુરીટી ફોર્સમાં આસીસ્ટન્ટ વેટરનરી સર્જનની જગ્યા માટે સમગ્ર ભારતમાં જનરલ કેટેરગીમાં પ્રથમ ક્રમે પસંદગી થઇ છે. બનાસકાંઠાના વડગામ તાલુકાના મોટેટા ગામના વતની અને છેલ્લા ૧૦ વર્ષથી કૃષિ યુનિ. માં સ્થાઇ થયેલા વેટરનરી કોલેજના વિધાર્થી ડો. સંદિપ જોરાવરસિંહ ગઢવીની તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલી બી.એસ.એફ. માં આસીસ્ટન્ટ વેટરનરી સર્જનની જગ્યા માટેની ભરતી પ્રક્રિયામાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે પસંદગી થવા પામી છે.

આ ભરતી પ્રક્રિયામાં સમગ્ર દેશમાંથી કુલ ૪૮ ઉમેદવારોએ ભાગ લીધો હતો. જેમાંથી ૩ ઉમેદવારોની પસંદગી થઇ હતી. જેમાં ડો. સંદિપ ગઢવીની નિમણૂંક ગુજરાત ફ્રન્ટીયરમાં બાડમેર સેકટર ખાતે ૧૬૩ બટાલીયનમાં આસીસ્ટન્ટ વેટરનરી સર્જન તરીકે કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ડો. સંદિપ ગઢવી ઉત્તર ગુજરાત તેમજ પિશ્ચમ રાજસ્થાનમાં અશ્વ માટે એક નિષ્ણાત તબીબ તરીકે અશ્વ માલીકોમાં પ્રચલિત છે. તાજેતરમાં તેમના નેતૃત્વમાં દાંતીવાડા ખાતે રાજય કક્ષાના ત્રીજા વાર્ષિક અશ્વ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ડૉ. સંદિપની નિમણૂંક થતાં અશ્વ માલીકોમાં નિરાશા પ્રસરી છે.

આ અંગે અશ્વ પાલક તથા ઓલ ગુજરાત હોર્સ બ્રિડર્સ એસોસીએશનના ફાઉન્ડર વિરેન્દ્રસિંગ કાંકરીયાએ જણાવ્યું હતું કે, ‘ડો. સંદિપ ગઢવીની નિમણૂંક સૈન્યમાં થવાની અમને અપાર ખુશી છે. પરંતુ, અમારે અશ્વના એક સારા નિષ્ણાત ગુમાવાનું દુ:ખ પણ છે.

આ નિમણૂંક પામતા સંદિપ ગઢવીને આસીસ્ટન્ટ કમાન્ડન્ટની પણ જવાબદારી મળે છે. જેથી તેમને આગામી સમયમાં ટેકનપુર (મઘ્યપ્રદેશ) ખાતે ૩ મહિનાની હથિયાર અને શારિરીક તાલીમ લેવાની થશે. જો કે તેમને પોતાની ફરજ દરમિયાન મુખ્યત્વે સરહદ પર ઉટ, ઘોડા અને શ્વાનને તાલીમ અને સારવાર આપવાની રહેશે.

મતદાન ન કરવું એ લોકતંત્રનું અપમાન:બાબા રામદેવજી


baba ramdevબનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનના સાંચોર તાલુકાના પથમેડા ખાતે આવેલી શ્રી ગોધામ મહાતીર્થ આનંદવન ગૌશાળા ખાતે ૨૧ થી ૨૫ એપ્રિલ સુધી આયોજિત ‘કામધેનુ ક્રાંતી યોગ વિજ્ઞાન શિબિર’ માં ઉપસ્થિત યોગઋષી સ્વામી રામદેવજી મહારાજે ‘દિવ્ય ભાસ્કર’ ની તિલક મતદાનની ઝૂંબેશને આવકારી હતી,અને મતદાન ન કરવું તે દેશની સ્વતંત્રતાનું અને લોકતંત્રનું અપમાન છે. તો આપણે સૌ સો ટકા મતદાન કરીએ તેવી અપીલ મતદારોને કરી હતી..

રાજકીય શિક્ષણ આપવાના આપના હેતુમાં શંકા છે, તો આપનું શું કહેવું છે ?

કોઇએ પણ શંકા કે ચિંતા કરવાની જરાય જરૂર નથી. જે કોઇ લોકો ભારત સ્વાભિમાન ટ્રસ્ટને રાજકીય દ્દષ્ટિથી જુએ છે, તેમને ટ્રસ્ટના ઉદ્દેશથી બરાબર માહિતગાર થવું જોઇએ. અમે કોઇ પણ સારા લોકો માટે મુશ્કેલીકારક કે ચિંતાજનક નથી. માટે કોઇએ ભવિષ્યની વાતો વિચારીને ચિંતા કરવાની જરૂર નથી.

શું તમે ભવિષ્યમાં કોઇ રાજકીય પક્ષ સ્થાપશો કે કોઇને સહયોગ આપશો ?

ના, કયારેય નહીં, અમારુ કામ કોઇનો વિરોધ કરવાનું કે સમર્થન આપવાનું નથી. અમારુ કામ દેશમાં આરોગ્ય, ચરિત્ર અને નેતત્વ નિર્માણ કરવાનું છે અને જો તેનાથી દેશમાં સારા લોકો તૈયાર થાય તો તેમાં ચિંતાજનક શું છે ?

આગામી કેન્દ્રમાં સરકાર કયા પક્ષની રચાશે ?

સમગ્ર દેશ જાણે છે કે, દેશમાં આગામી સરકાર કોઇ એક પક્ષની તો નથી જ બનવાની. જે પણ બનશે તે તોડ-ફોડ કે ખરીદાઇ-વેચાઇને બનશે અને તે સરકાર દેશ માટે સૌથી ખતરનાક સાબીત થશે, માટે આવનારા પાંચ વર્ષ ભારતના રાજકારણ માટે સંકટકાળ હશે. આ સમયમાં અત્યાર સુધી જેટલી દેશની બરબાદી અને લૂંટ થઇ છે તેનાથી પણ બરબાદી અને લૂંટ આ પાંચ વર્ષોમાં થવાની છે.

તમારી દ્દષ્ટિએ લોકોએ કયા પક્ષને મત આપવો જોઇએ ?

લોકો કોઇપણ પક્ષને મત આપીને જીતાડે પરંતુ તે પક્ષ અવશ્ય રાષ્ટ્રીય પક્ષ હોવો જોઇએ. દેશમાં રાજય સ્તરના પક્ષો હશે ત્યાં સુધી રાષ્ટ્રની એકતા, અખંડીતતા પર પ્રશ્નાર્થ લાગશે. અમને વિધાનસભાની ચૂંટણીમાં રાજય સ્તરના પક્ષો જીતે તેમાં કોઇ વિરોધ નથી. પરંતુ જયારે રાષ્ટ્રીય સ્તરની ચૂંટણી હોય ત્યારે રાષ્ટ્રીય પક્ષને જ આગળ કરવા જોઇએ.

અત્યાર સુધીની કઇ સરકાર દેશ માટે સારી નીવડી છે?

દુર્ભાગ્યથી છેલ્લા ૬૦ વર્ષથી કોઇપણ સરકાર દેશ માટે સો ટકા સારી નથી નિવડી. કોઇપણ સરકારે બધા જ રાજયો સાથે સમાન વ્યવહાર નથી કર્યો. દેશના એકએક જિલ્લાના ભાગે જેટલા રૂપિયા વિકાસ માટે આવવા જોઇએ, તે કયારેય આપ્યા નથી. લાખ બેઇમાન હોવા છતાં પણ જો કેન્દ્ર અને રાજય સરકારે ઇમાનદારી પૂર્વક કામ કર્યું હોત તો, એક જિલ્લાના ભાગે દર વર્ષે ૧,૬૬૬ કરોડ રૂ. આવત. વર્ષ ર૦૦૮-૦૯માં કેન્દ્ર સરકારનું બજેટ ૮,૧૬,૦૦૦ કરોડ રૂ. હતું. પરંતુ દુર્ભાગ્યથી તે બજેટને પણ સમાનરૂપથી વિતરીત કરવામાં આવ્યું નથી.

શું સ્વીસ બેંકના કાળાં નાણાં દેશમાં પાછા આવશે ?

હા,જરૂર પરંતુ કોઇ એક સરકાર પર વિશ્વાસ કરી શકાય નહીં. દેશના લોકો જયારે આંદોલન કરશે. ત્યારે જરૂર સ્વીસ બેંકમાં પડેલા કાળા નાણાં દેશમાં પાછા આવશે. આ આંદોલનમાં અમે અમારી સંપૂર્ણ શકિત લગાડીશું. રસ્તાથી લઇને સંસદ સુધી સંપૂર્ણ દેશમાં ઉગ્ર આંદોલન કરીશું.

શું તમને લાગે છે કે રામમંદિરનું નિર્માણ થશે ?

જુઓ, રામ મંદિરનું નિર્માણ એ મોટો મુદ્દો નથી. તેનાથી પણ મહત્વનો મુદ્દો દેશમાં રામ જેવા ચારિત્રનું નિર્માણ કરવાનો છે.

શું યોગ અને પ્રાણાયામથી બીમારી પણ મટી શકે છે?

યોગ અને પ્રાણાયામથી કેન્સર અને અન્ય રોગ મટી જાય છે. તેવું અમે સેંકડો વાર કહી ચુકયા છીએ અને જયાં સુધી એઇડ્સની વાત છે. તો તેના મટી જવા વિષે અમે કયારેય દાવો નથી કર્યોઅને આજે પણ એટલું જ કહુ છું કે, યોગ અને પ્રાણાયામથી એઇડ્સમા વાયરલ લોડ ઘટે છે માટે થોડી રાહત થાય છે.

ચૂંટણીને લઇને દેશની જનતા માટે કોઇ સંદેશ ?

સૌ પ્રથમ તો મતદાનના દિવસે બધાજ લોકો અવશ્ય મતદાન માટે ઘરની બહાર નીકળી પોતે મતદાન કરે અને અન્ય ને પણ જાગૃત કરે. મતદાન ન કરવું તે દેશની સ્વતંત્રતાનું અને લોકતંત્રનું અપમાન છે. તો આપણે સૌ સો ટકા મતદાન કરીએ.

દાંતીવાડામાં ભરચોમાસે પણ આંબાના વૃક્ષ પર કેરી


Mango Treeફળોમાં જેને રાજાનું બિરુદ આપવામાં આવ્યું છે તે કેરીની સીઝન ઉનાળામાં હોય છે. એપ્રિલ અને મે મહિનામાં કેરીનો સ્વાદ માણ્યા વગર કોઇ રહી શકે નહીં. પણ કળીયુગની કમાલ કહો કે ફળોના રાજાની મોજ. રાજા કહેવાયા પછી આપોઆપ સ્વતંત્રતા મળી ગઇ હોય તે રીતે વગર સિઝને પણ ફળ બેસવાની એક ઘટના દાંતીવાડા કષિ યુનિવર્સિટીમાં બની છે.

દાંતીવાડા કષિ યુનિવર્સિટી ખાતે સંશોધન નિયામકની કચેરી પાસેના રોડ સાઇડમાં આવેલા એક આંબાના વૃક્ષ ઉપર આઉટ સિઝનમાં કેરીએ દેખા દેતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. આ સીઝનમાં વૃક્ષને નવી કુંપળો ફુટવાનો સમય હોય છે પરંતુ આ સમયે આંબા ઉપર કેરી ભાગ્યે જ જોવા મળે છે.

આ અંગે કષિ યુનિ. ના હોર્ટીકલ્ચર વિભાગના પ્રાઘ્યાપક ડૉ. એલ.આર. વર્માએ જણાવ્યું હતું કે ‘આંબાની અમુક જાતોમાં બે સીઝનમાં કેરી આવતી હોય છે. પરંતુ તે જાતોમાં પણ નવેમ્બર કે ડીસેમ્બરમાં કેરી આવે છે. ખરેખર ચોમાસામાં તો કયારેય કેરી આવતી જ નથી. આ કિસ્સામાં હવામાનમાં ફેરફારને કારણે આંબા પર કેરી આવી હોવાનું શકય બની શકે છે.’

સીપુ વસાહતના મતદાન બુથમાં ‘કમળ’ના ચિહ્નથી તર્ક-વિતર્ક


LOTUSબ્લેક બોર્ડ પર કમળનું ફુલ ચિતરાયું હતું

લોકસભાની ચૂંટણીમાં આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે ચૂંટણી અધિકારીઓ દ્વારા બાજ નજર રાખવામાં આવી હતી. જે દરમિયાન મતદાનના દિવસે દાંતીવાડા તાલુકાના સીપુ વસાહત મતદાન મથકમાં ચૂંટણી આચારસંહિતાનો ભંગ જોવા મળ્યો હતો.

આ વખતની ચૂંટણી આચારસંહિતાના નિયમ મુજબ મતદાન મથકમાં તેમજ મતદાન મથકની આજુબાજુની સો મીટરના વિસ્તારમાં કોઇ પણ પક્ષનું ચિન્હ કે અન્ય કોઇ નિશાની હોવી ન જોઇએ તથા કોઇ પણ રાજકીય પુરૂષના ફોટા પણ ન હોવા જોઇએ. તેમ છતાં પણ મતદાનના દિવસે જ ચૂંટણી આચારસંહિતાના નિયમોનું ફરજ પરના અધિકારીઓ દ્વારા સીપુ વસાહત મતદાન મથકમાં ખુલ્લેઆમ ભંગ થયો હોવાનું ચર્ચાતું હતું.

મતદાનના દિવસે સીપુ વસાહતના મતદાન મથકના બ્લેક બોર્ડ ઉપર ‘કમળ’નું ચિન્હ દોરેલું હોવા છતાં કોઇના ઘ્યાને આવ્યું ન હતું જેથી અનેક તર્ક-વિતર્ક ફેલાવા પામ્યા છે.

૩૦ છાત્રોને ખોરાકી ઝેરની અસર


studentઝાડા-ઊલટી થતાં વિધાર્થીઓને સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ખસેડાયા , રાત્રીના સમયે બનેલી ઘટનાથી યુનિવર્સિટીમાં અફડા-તફડી મચી ગઈ

સરદારકષિનગર દાંતીવાડા કષિ યુનિવર્સિટીમાં આવેલી વેટરનરી હોસ્ટેલની શિવાજી મેસમાં શુક્રવારના રોજ રાત્રી ભોજન કર્યા બાદ ૩૦ થી વધુ વિધાર્થીઓને ખોરાકી ઝેરની અસર થતાં હોસ્ટેલમાં અફડા-તફડી મચી જવા પામી હતી. ત્યારે ખોરાકી ઝેરના અસરગ્રસ્ત વિધાર્થીઓને તાબડતોબ પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ અંગેની વિગત એવી છે કે, વેટરનરી હોસ્ટેલની શીવાજી મેસમાં રોજના અંદાજીત ૮૦ થી વધુ વિધાર્થીઓ ભોજન કરતા હોય છે. જયાં શુક્રવારના રોજ રાત્રી ભોજનમાં પૌંઆ, રોટલી, મોગરની દાળ તથા દૂધનું ભોજન પિરસવામાં આવ્યું હતું. દરરોજની જેમ શુક્રવારે પણ ૮૦ થી વધુ વિધાર્થીઓએ ભોજન કર્યું હતું.

ભોજન કર્યા બાદ બધા વિધાર્થીઓ સૂઇ ગયા હતા. જયાં મોડી રાત્રે બે વાગે સૌપ્રથમ હીરેન સથવારા તથા સુરેશ પરમાર નામના બે વિધાર્થીઓને ખોરાકી ઝેરની અસર થતાં ઝાડા-ઊલટી થવા લાગી હતી. ત્યારબાદ વારાફરતી ૩૦ થી વધુ વિધાર્થીઓને તથા મેસમાં કામ કરવાવાળા બહેનોને પણ ખોરાકી ઝેરની અસર થતાં તેમને પણ ઝાડા-ઊલટી થવા લાગી હતી.

જેમાં જય ભાવસાર, ચેતન પટેલ, વિજય પરમાર, વિપુલ ચૌધરી, નરોત્તમ રાઠોડ તથા વિજય પટેલની હાલત ગંભીર જણાતી હતી. આ અંગેની જાણ વિધાર્થીઓ દ્વારા હોસ્ટેલ રેકટરને કરતા ડો. પાંડે અને ડો. પંકજકુમારે હોસ્ટેલમાં આવીને તમામ વિધાર્થીઓને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. જયાં ફરજ પરના તબીબે બધા વિધાર્થીઓને જરૂરી સારવાર આપી હતી. આ સમગ્ર ઘટના અંગે વિધાર્થીઓમાં દાળ ખાવાથી ખોરાકી ઝેરની અસર થઇ હોવાનું ચર્ચાતું હતું. કારણ કે મોટેભાગે જે વિધાર્થીઓએ દાળ ખાધી હતી તેમને જ આ તકલીફ થઇ હતી.

આ ઘટનાની જાણ થતાં કષિ યુનિવર્સિટીના વિધાર્થી કલ્યાણ નિયામક ડો. વિરસીંગ રાઠોડ, વેટરનરી ડૉ. ડી.વી. જોષીએ સિવિલમાં જઇ વિધાર્થીઓના ખબર અંતર પૂછયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી ૧૭ તારીખથી વિધાર્થીઓની પરીક્ષાઓ શરૂ થતી હોવાથી વિધાર્થીઓ આ સમગ્ર ઘટનાને લઇને ચિંતામાં મુકાયા છે. આજથી એક વર્ષ પહેલાં પણ પરીક્ષાઓના સમય દરમિયાન ૧૦૦ થી વધુ વિધાર્થીઓને ખોરાકી ઝેરની અસર થઇ હતી. જેથી અભ્યાસમાં તેજસ્વી પણ શારિરીક રીતે અસ્વસ્થ વિધાર્થીઓ પરીક્ષામાં વિધાર્થીઓ નાપાસ થયા હતા.

હોસ્ટેલના વિધાર્થીએ સતત ૧૦ કલાક મિત્રોની સેવા કરી

દાંતીવાડા કષિ યુનિવર્સિટીમાં ૩૦ થી વધુ વિધાર્થીઓને ખોરાકી ઝેરની અસર થતાં ઘટના દરમિયાન પરીક્ષા હોવાથી અન્ય વિધાર્થીઓ પરીક્ષાની ચિંતા કરતા હતા ત્યારે વેટરનરી કોલેજના વિધાર્થી સંજય જોષીએ પરીક્ષાનો સમય હોવા છતાં પણ સતત ૧૦ કલાક સુધી બિમાર વિધાર્થીઓની સેવા કરી હતી. તેમને પોતે એકલા હોવા છતાં પણ બિમાર વિધાર્થીઓને રાત્રી દરમિયાન દવા આપવી, પાણી આપવું સહિતની સેવાઓ આપી માનવતા અને મિત્રતા બંને ધર્મ નિભાવ્યા હતા.

અર્થ

મીંચેલી આંખે મળ્યો જ્યારે જાગરણનો અર્થ,
ત્યારે ખબર પડી કે છે શું આવરણનો અર્થ.

સંકોચ શું છે એની ખરી ત્યારે જાણ થઇ,
મૃગજળને જઇને પૂછ્યો મેં વહેતાં ઝરણનો અર્થ.

આબોહવા તો હોય છે – આબોહવાનું શું?
વાતાવરણ જો હોય તો વાતાવરણનો અર્થ ?!

છેવટનો અંત આવી ગયો સૌ પ્રયાસનો,
મારી નજીક એ જ છે મંગળાચરણનો અર્થ ?

નિષ્ઠુર છું – હું ચાહું તો તો હમણાં હસી શકું,
પણ એમાં દિલ ન લાગે તો શું આચરણનો અર્થ?

છૂટા પડી ગયા તો સમજદાર થઇ ગયા,
સમજી ગયા કે શું હતો એકીકરણનો અર્થ.

સ્વપ્નાની વાત કોઇને કહેતા નથી હવે,
સમજી ગયા છે ‘સૈફ’ હવે અવતરણનો અર્થ.

રમીએ

સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,

ચાલ મજાની આંબાવાડી! આવળબાવળ રમીએ.

બાળસહજ હોડી જેવું કંઈ કાગળ કાગળ રમીએ,

પાછળ વહેતું આવે જીવન, આગળ આગળ રમીએ.

માંદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવી,

બાધાને પણ બાધ ન આવે, શ્રીફળ શ્રીફળ રમીએ.

તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં,

છળના રણમાં છાનામાના મૃગજળ મૃગજળ રમીએ.

હોય હકીકત હતભાગી તો સંઘરીએ સ્વપ્નાંઓ,

પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ.

ફરફર ઊડતું રાખી પવને પાન સરીખું પહેરણ,

મર્મર સરખા પારાવારે ખળખળ ખળખળ રમીએ.

હુંય ગની, નીકળ્યો છું લઈને આખોપાખો સૂરજ,

અડધીપડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ.