Monday, December 28, 2009

બોર્ડરવિંગના જવાનોની છઠ્ઠા પગરપંચની માંગ

બોર્ડરવિંગના જવાનોની છઠ્ઠા પગરપંચની માંગ

ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા

ભારતમાં હંમેશા ખડેપગે આંતરિક સુરક્ષા કરી રહેલા બોર્ડરવિંગના જવાનોને તંત્ર દ્વારા પહેલા, ચોથા અને પાંચમાં પગારપંચનો લાભ આપવામાં આવ્યો છે. તેમ છતાં પણ ગુજરાતની ચાર બટાલીયનોના અંદાજે ૨૪૦૦ જેટલા સુરક્ષા કર્મીઓને તંત્ર દ્વારા છઠ્ઠા પગારપંચનો લાભ આપવામાં ઠાગા ઠૈયા કરવામાં આવો છે. જો કે ગુજરાત સરકારના નાણા વિભાગ દ્વારા અર્ધસરકારી કર્મચારીઓને છઠ્ઠા પગરપંચનો લાભ આપવા માટે ઠરાવ કરવામાં આવેલ છે. તેમજ આ પેહલા પણ બોર્ડરવિંગના જવાનોને ચોથા અને પાંચમા પગાર પંચનો લાભ મળેલ છે. માટે આ સુરક્ષા કર્મીઓને છઠ્ઠા પગારપંચનો પણ લાભ આપવાની માંગ કરી રહ્યા છે. આ અંગે બટાલીયન નં.૧ ના નારણદાસ રાઠોડે જણાવ્યું હતું કે ‘સરકાર દ્વારા અમને લોકોને ચોથુ અને પાંચમું પગાર પંચ આપેલ છે. છôું પગારપંચ આપવામાં કેમ વિલંબ કરાય છે. તો સરકાર અમારી સેવાની કદર કરીને અમને સત્વરે આ લાભ આપે તેવી અમારી માંગ છે.

No comments:

Post a Comment