Sunday, January 10, 2010

દાંતીવાડાના ઘરવહિોણા લોકોને પ્લોટ મળશે

ભાસ્કર ન્યૂઝ.દાંતીવાડા

દાંતીવાડા તાલુકામાં ૨૦૦૦ જેટલા લોકો ઘર વહિોણા હોવાના અહેવાલો બાદ હરકતમાં આવેલા તંત્ર દ્વારા ૧૪ ગામતળ મંજુર કરી પ્લોટ આપવાની કાર્યવાહી હાથ ધરાતાં પ્રજાજનોમાં આનંદની લાગણી પ્રસરી છે.

તાલુકામાં ૨૦૦૦ જેટલા લોકો ઘર વહિોણા હોવા અંગેનો અહેવાલ તાજેતરમાં ‘દિવ્ય ભાસ્કર’ માં પ્રસિદ્ધ થયો હતો. જેના પગલે તંત્ર દ્વારા ગામતળ મંજુર કરવામાં આવ્યા છે. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘દાંતીવાડા તાલુકાના ગોઢ, વાઘરોલ, ઝાત, ધનીયાવાડા, ભાંડોત્રા, ગાંગુદરા, ડાંગીયા, સાતસણ, ગાંગુવાડા, દાંતીવાડા, ઉત્તમપુરા, વાઘોર, લોડપા અને પાંથાવાડાના ઘર વહિોણા લોકોને ઇિન્દરા આવાસ, સરદાર આવાસ, આંબેડકર આવાસ યોજના થકી આવાસ મળશે. જો કે તાલુકા પંચાયત દ્વારા કુલ ૨૬ ગામોની મંજુરી માંગી હતી પરંતુ, કેટલાક ગામોમાં વન વિભાગ અને ગ્રામ પંચાયત વચ્ચે જમીનના મુદ્દે આંટાઘુંટી સર્જાતા અન્ય ૧૨ ગામોની મંજુરી મળી નહતી. દરમિયાન ૧૨ ગામોમાં પણ સત્વરે ગામતળ મંજુર કરવામાં આવશે.’

No comments:

Post a Comment