Sunday, January 10, 2010

ગૌ ગ્રામયાત્રાના સ્વાગતની તૈયારી

ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા

હરિયાણાના કુરૂક્ષેત્ર ખાતેથી પ્રારંભ થયેલી વશિ્ર્વમંગલ ગૌ ગ્રામ યાત્રા આગામી રર ડિસેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લામાં પ.પૂજય શંકરાચાર્ય શ્રી રાઘવેશ્ર્વર ભારતી સ્વામીજી મહારાજ સાથે પધારી રહી છે. જેને આવકારવા માટે સમગ્ર જિલ્લામાં તડામાર તૈયારીઓ શરૂ થઇ છે.

સમગ્ર દેશમાં સંતો મહંતોની આગેવાનીમાં ગઇ વજિયાદશમીના દિવસે કુરૂક્ષેત્ર ખાતેથી ગૌ ગ્રામ અને સજીવ ખેતીને લક્ષ્યમાં રાખીને તેમજ ગાયનેઁ રાિષ્ટ્રય પ્રાણી જાહેર કરવા માટે થઇને ૫૦ કરોડ હસ્તાક્ષર કરાવવાના સંકલ્પ સાથે શરૂ થયેલી વશિ્ર્વમંગલ ગૌ ગ્રામ યાત્રા છેલ્લા ૮૩ દિવસમાં ભારતના ૮૦ થી વધુ શહેરોમાં ભ્રમણ કરીને આગામી રર ડિસેમ્બરના રોજ પાટણથી ડીસા ખાતે પ્રવેશ કરશે. ત્યારબાદ આ યાત્રા ડીસાથી પાલનપુર, અમીરગઢ થઇને રાજસ્થાનમાં પ્રવેશ કરશે. આ યાત્રા દરમિયાન પ.પૂજય શંકરાચાર્ય શ્રી રાઘવેશ્ર્વર ભારતી સ્વામીજી મહારાજ અને અન્ય સંતો મહંતોની ઉપસ્થિતીમાં ડીસા અને પાલનપુર ખાતે વિરાટ જાહેર સભા યોજાનાર છે. આ મુખ્ય યાત્રા કુલ ૧૦૮ દિવસમાં ર૦ હજાર કી.મી. પરીભ્રમણ કરીને દેશના રપ૦ થી પણ વધુ શહેરોમાં વિરાટ જાહેર સભાઓ તેમજ સંપર્ક કરશે.



ગાયને માતાનો દરજો આપનાર દેશમાં શરમજનક હાલત

જેમાં ૩૩ કરોડ દેવતાનો વાસ છે એ ગાયને ભારતીય સંસ્કૃતિમાં માતાનો દરજજો આપવામાં આવ્યો છે. પરંતુ આ દેશમાં ‘માતા’ની સ્થિતી શરમજનક છે. ગાય અપમાનીત દશામાં જીવી રહી છે અને મરી રહી છે. જેના કેટલાક પુરાવા અહીં છે. જેમાં ભારતમાં ૪૦૦૦ ગૌ શાળાઓ, ૩૬૦૦૦ કતલખાના, આઝાદી બાદ ૮૦ ટકા ગૌ વંશ નષ્ટ થયો.,ભારત-બાંગ્લાદેશ સરહદ પર ૧૫૦ અબજ રૂપિયાના પશુધનની ચોરી થઇ રહી છે.,૮૦ ગૌ વંશની જાતી ધરાવતા દેશમાં આજે માત્ર ૩૩ જાતીઓજ બચી છે.,ગૌ વંશની ર૦ જાતીઓ નામશેષ થઇ.,ભારતમાં ગાયના ચામડાનો નિકાસ ૬.૫ હજાર કરોડ રૂપિયાનો વેપાર.૧૯૫૧માં એક હજાર માણસે ૮૦૦ પશુઓ હતા.જયારે આજે માત્ર ૪૦૦.

No comments:

Post a Comment