Wednesday, January 6, 2010

દાંતીવાડા તાલુકામાં બે હજાર લોકો ઘરવહિોણા

ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા

બનાસકાંઠા જિલ્લાના છેવાડે અને રાજસ્થાન સરહદને અડિને આવેલા પછાત એવા દાંતીવાડા તાલુકાને નવિન તાલુકાનો દરજજો આપ્યો છે. પરંતુ વિકાસમાં આજે પણ તાલુકો પછાત છે. તાલુકામાં બે હજાર થી પણ વધુ બી.પી.એલ. લાભાર્થી ઘર વહિોણા છે.

નવરચિત દાંતીવાડા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્વારા ગરીબી રેખા નીચે જીવતા લોકોને જમીન મળી રહે તે માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. જેના કરાણે ગીરબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યામાં પણ નોંધ પાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમ છતાં પણ દાંતીવાડા તાલુકા પંચાયત દ્વારા તાજેતરમાં કરાયેલા સર્વે મુજબ દાંતીવાડા તાલુકામાં આજે પણ ૮૯૨૫ જેટલા લોકો ગરીબી રેખા હેઠળ જીવી રહ્યા છે. જેમાં ૨૧૨૭ જેટલા લોકોને તો રહેવા માટે ઘર પણ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજય સરકાર દ્વારા રાજયમાં ગરીબી દૂર કરવા માટે ઠેર ઠેર ગરીબ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જો આ મેળાઓમાં દાંતીવાડા તાલુકાના પણ બેસહારા લોકોને લાભ મળે તો તેમની સાથે સાથે તેમના બાળકોનું પણ ભાવી પ્રકાશમય થાય તેમ છે. આ અંગે દાંતીવાડ તાલુકા પંચાયતના સુત્રોએ જણાવ્યું હતું કે ‘ઘર વહિોણા લોકોને ઝડપી જમીન આપવા માટે ગામની ગામતળ અને ગૌચરની જમીન આપવાની અને ત્યારબાદ તે લોકોને જુદી જુદી યોજનામાં આવાસ પણ બનાવી આપવા માટે ની કાર્યવાહી હાથ ધરાશે.’

No comments:

Post a Comment