Monday, January 18, 2010

દાંતીવાડામાં વિવિધ યોજનામાં ફોર્મ ભરવા લોકો ઊમટયાં

ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા

દાંતીવાડા તાલુકામાં કલેકટર દ્વારા ૧૨ ગામોના ગામતળ મંજુર કરાયા બાદ,આ જમીનમાં પોતાના આવાસ બનાવવા માટે થઇને ફોર્મ ભરવા માટે તાલુકા પંચાયતમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.

દાંતીવાડા તાલુકામાં રહેતા અંદાજે ર૦૦૦ લોકોને આવાસના તથા અન્ય લાભ આપવા માટે તાલુકા પંચાયત દ્વારા લાભાર્થીઓને ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.આ અંગે તાલુકા પંચાયતના સૂત્રોએ જણાવ્યું હતું કે‘ કેન્દ્ર સરકારની અને રાજય સરકારની વિવિધ ૮૯ જેટલી યોજનાઓ માટે ફોર્મ ભરવામાં આવ્યા છે. જેમાં અત્યાર સુધીમાં રર૧૪૪ ફોર્મનું વિતરણ કરાયું છે. અને ૧૨૬૭૯ ફોર્મ પરત મળી ગયા છે. સૌથી વધુ ૩૯૨૮ જેટલા ફોર્મ કિસાન ક્રેડીટ યોજનામાં ભરાયા છે.

લાભ લેવા કતાર

દાંતીવાડા તાલુકામાં વિવિધ યોજના માટે લાભાર્થીઓ ફોર્મ ભરવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટયા હતા.
-પ્રશાંત જોષી

No comments:

Post a Comment